Rajkotમાં નજીવી બાબતે લુખ્ખાતત્ત્વોએ નકળંગ ટી સ્ટોલ પર ફેંક્યો પેટ્રોલ બોમ્બ

HomeRAJKOTRajkotમાં નજીવી બાબતે લુખ્ખાતત્ત્વોએ નકળંગ ટી સ્ટોલ પર ફેંક્યો પેટ્રોલ બોમ્બ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ચૂંટણી કાઉન્ટ-ડાઉન : 1118 પોલીંગ સ્ટાફ અને 481 પોલીસ સ્ટાફને ચૂંટણી જવાબદારી સોંપાઈ | Election Countdown: 1118 polling staff and 481 police staff assigned...

- દરેક વોર્ડ અને દરેક બેઠક માટે એક-એક આરઓ અને એઆરઓ- સૌથી વધુ સ્ટાફ સિહોર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ફાળવાયોભાવનગર : ભાવનગર જિલ્લામાં મનપા,...

રાજકોટમાં લુખ્ખા તત્ત્વો બેફામ બન્યા. યુનિવર્સિટી રોડ ખાતે આવેલ નકળંગ ટી સ્ટોલ પર પેટ્રોલ બોમ્બ ફેંકાયાની ઘટના સામે આવી. આ સમગ્ર ઘટના હોટલના CCTVમાં કેદ થઈ. 

શહેરમાં અસમાજિક તત્ત્વોની દાદાગીરી વધી છે. લોકો કોઈપણ ભોગે પોતાની મનમાની કરવા સામાન્ય લોકો સહિત હોટલ જેવા સ્થાનને નુકસાન પંહોચાડી રહ્યા છે. શહેરમાં યુનિવર્સિટી રોડ પરની નકળંગ ટી સ્ટોલમાં સામાન્ય બાબતે તોફાની તત્ત્વોએ માથાકૂટ કરી. અને બબાલ કરી બહાર નીકળેલા લુખ્ખાતત્વોએ સોડાની બોટલમાં પેટ્રોલ ભરી આગ લગાડી ટી સ્ટોલ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો. નકળંગ ટી સ્ટોલના માલિકે તોફાની તત્ત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવી.

નકળંગ ટી સ્ટોલમાં કેટલાક શખ્સ ખાણીપીણીની મોજ કરવા પંહોચ્યા હતા. દરમ્યાન આ ઇસમોની પાન મસાલાની રૂપિયાની લેતીદેતી મામલે બબાલ થઈ. પાનની દુકાને રૂપિયાની ચૂકવણીને લઈને ઇસમોએ મોટી માથાકૂટ કરી. જેના બાદ ગુસ્સે ભરાયેલ ઇસમો બહાર નીકળ્યા બાદ થોડા સમય પછી હોટલ પર પેટ્રોલ બોમ્બ ફેંકયો. હોટલ માલિકની ફરિયાદના પગલે જયદેવ રામાવત અને ચિરાગ બાવાજી વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો.

રાજકોટ શહેરમાં મારામારીની ઘટના અંગે ડીસીપી જગદીશ બાંગરાવા દ્વારા પ્રેસ યોજવામાં આવી હતી. ડીસીપીના જણાવ્યા મુજબ નકળંગ ટી સ્ટોલ ખાતે 15 જાન્યુઆરી 2025ની રાત્રે પેટ્રોલ બોમ્બ જેવા જ્વલન્શીલ પ્રવાહી ભરેલી સળગતી બોટલ ફેંકી આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે ટી સ્ટોલ સંચાલક જિલ્લાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભરવાડ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 326 (G), 115 (2), 62 સહિતની કલમ હેઠળ જયદેવ રામાવત, ચિરાગ બાવાજી તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

DCPએ જણાવ્યું કે આવા લુખ્ખા તત્ત્વો પર લગામ લગાવવામાં આવશે. ફરી આવા બનાવ ના બને માટે સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પોલીસ FSL રિપોર્ટ બાદ કાર્યવાહી કરશે. લુખ્ખા તત્ત્વો પેટ્રોલ ક્યાંથી લાવ્યા તેની તપાસ થઈ રહી છે. અને બોટલમાં પેટ્રોલ આપનાર શખ્સ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon