વિરમગામ શહેર સહિત તાલુકામાં મકરસંક્રાંતિ પર્વની લોકો દ્વારા હર્ષોઉલ્લાસભેર ઉજવણી કરાઈ કરાઈ હતી. પરિવાર,મિત્રો સાથે પતંગ ચગાવી સાથે ઉંધીયું, જલેબી સહિતની ખાણીપીણીની લુફ્ત માણી હતી. તો સંધ્યા સમયમાં ફ્ટાકડા ફેડી અવકાશી આતસબાજી કરીને લોકોએ આનંદ માણ્યો હતો.
પર્વની બે દિવસની ઉજવણી દરમિયાનમાં પતંગ દોરાથી અને મકાનોની છત ઉપરથી પડવાના અલગ અલગ બનાવોમા 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને વિરમગામ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. કબૂતર, સમડી, ચકલી, જળ કુકળી, ટિટોડી, સહિત એક સારસ અને એક બ્લેક આઇબીસ મળી તેવીસ થી વધુ પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ થવના બનાવો પંથકમાં ઘટયા હતા. જેમાં એક આઇબીસ પક્ષી અને ચાર કબુતર મળી પાંચ પક્ષીઓના મોત નિપજયાનું જાણવા મળ્યુ છે. ઘાયલ પક્ષીઓને સારવાર આપી વિરમગામ પાંજરાપોળમાં રખાયા હતા. સારસ પક્ષી વન વિભાગમાં સોંપવામાં આવ્યું હતુ. પર્વમાં ઘાયલ પક્ષીઓને સારવાર અપાવવા માટે વિરમગામ સરકારી પશુચિકિત્સક તેમજ પ્રવિણ શાહ, પીયૂષ ગજ્જર, વિપુલ ગાંધી, જનક સાધુ, જે.ડી.રાજપૂત, સતિષ ઠાકોર, દશરથ ઠાકોર, શ્યામ મહેતા, ફરુક સહિતના જીવદયા પ્રેમીઓએ જહેમત ઉઠાવી હતી.