વડોદરામાં રોડ-રસ્તાથી નાગરિકો ત્રસ્ત થઈ ગયા છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં રોડ બિસ્માર હાલતમાં હોવાનું સામે આવ્યું છે. તેને પગલે સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ રોડને ઓક્સિજનની બોટલ ચડાવી વિરોધ નોંધાવ્યો હતો. વરસાદી-ડ્રેનેજ લાઈન માટે રોડ ખોદી નાખવામાં આવ્યો હતો. જેથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. દોઢ મહિનો વિતવા છતાં કામગીરી પૂર્ણ ન થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
બિસ્માર રસ્તાથી લોકો પરેશાન
મળતી માહિતી મુજબ વડોદરામાં રોડ રસ્તાની સમસ્યાથી નાગરિકો ભારે હેરાન થઈ રહ્યા છે. તાંદલજા વિસ્તારમાં રોડ બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. રોડને ઓક્સિજનની બોટલ ચડાવવામાં આવ્યો હતો. તેમજ એક ઓક્સિજનની બાટલો પોતાને પણ નાગરિકોએ પોતાને પણ આપ્યો હતો. દોઢ મહિનાથી વરસાદી અને ડ્રેનેજ લાઈન માટે રોડ ખોદી નાખ્યો હોવાથી હજુ કામગીરી પૂર્ણ ન થતા લોકો ભારે હેરાન થયા હતા.
વાહન ચાલકો હેરાન થાય છે.
હવે ચોમાસુ શરુ થવાનું હોવાથી ખરાબ રોડ રસ્તાના લીધે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે. જોકે, ઘણીવાર રોડ પર ખાડા ખોદી નાખવાથી તેમાં બુરાણ કરવામાં ન આવતા રોડ રસ્તાની હાલત ખરાબ થઈ જાય છે.જેથી રસ્તા પર ચાલતા રાહદારીઓ અને વાહનચાલકો હેરાન થાય છે. ઘણીવાર ખરાબ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો તેમાં ફસાઈ જતા હોય છે.તો કેટલીક વાર ખરાબ રસ્તાઓને લીધે એક્સિડન્ટ થવાની ઘટનાઓ પણ બનતી હોય છે. જેમાં વાહન ચાલકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. માટે તંત્ર દ્વારા રિપેરિંગકામ કરવામાં આવે તે માટે લોકો દ્વારા લોકમાંગણી કરવામાં આવતી હોય છે.