દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચી.. ચી.. અવાજ સાંભળવા મળતો નથી. શહેરી વિસ્તારમાં તો ભાગ્ય જોવા મળે છે, જ્યારે ગામડાઓમાં હજુ મોટા ભાગના ઘરોમાં ચકલી જોવા મળી રહે છે. વર્તમાન સમયમાં ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી ચૂકી છે.
વર્ષ 2010માં પહેલીવાર વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફ્રાન્સની ઇકો-સીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફેરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ આ પહેલની શરૂઆત કરાઈ હતી. ચકલીની ઘટી રહેલી સંખ્યાની ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે આ દિવસ ઉજવાય છે. શહેરમાં મકાનોના બાંધકામમાં પરિવર્તન, જંગલ વિસ્તારમાં ઘટાડો, મોબાઇલ અને ટીવી ટાવરોના રેડિયેશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલીની સંખ્યામાં ચિંતાનજક ઘટાડો થયો છે. ચકલીઓની વસ્તીમાં ધીમે ધીમે ઘટાડો ઇકોસિસ્ટમ માટે હાનિકારક છે. આ દિવસનો હેતુ આપણા પર્યાવરણ માટે આ પક્ષીઓના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. ચકલીઓની વસ્તીમાં ધરખમ વધારો જોવા મળે તે સુનિશ્ચિત કરવા માટે પહેલ હાથ ધરી શકીએ છીએ.
ઘરોમાં ચકલીઓ માટે માળા બનાવવા જરૂરી
દિવસેને દિવસે ઘટતી જતી ચકલીઓને સુરક્ષા મળી રહે એ હેતુથી મકાનની ઓસરીમાં મજબૂત કાગળના બોક્સ, માટીની માટલીઓ કલરથી રંગ બેરંગી ડિઝાઇન કરી ચકલી અંદર ઘુસી શકે તેવો હોલપાડી લટકાવવી જોઈએ, જેથી મકાનની શોભાની સાથોસાથ રહેઠાણ મળી રહે. તેની આજુબાજુ અનાજ- પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.વળી બિલાડી કે અન્ય પક્ષીઓ ઈંડા કે બચ્ચાને નુકસાન ન કરે તેવી કાળજી લેવી જોઈએ. ચકલીઓની ચી..ચી.. આપણાના ઘરમાં સંભળાય તેવો પ્રવાસ કરવો જરૂરી છે કે આવનાર પઢીને આપણને વારસામાં આપવું જ હોય તો તે વન્યજીવન અને પર્યાવરણની શીખ આપવી જોઈએ.