પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારા લોકોને ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ શ્રદ્ધાંજલિ અપાઇ રહી છે. આતંકી હુમલા અંગે ઇંગ્લેન્ડમાં ઠેર ઠેર મંદિરો તેમજ કોમ્યુનિટી સેન્ટર્સમાં પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. જેમાં ભગવાનના નામની ધૂન ક
.

લંડનના ક્વીન્સબરીમાં આવેલા સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS)ના મંદિરમાં પણ એક પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું.

અમદાવાદથી ગુરૂજી સ્વામી મહારાજે વીડિયો સંદેશ આપ્યો હતો. જેના પછી ભગવાનના નામની ધૂન અને પ્રાર્થના કરાઇ હતી. સભામાં ઉપસ્થિત સૌ લોકોએ પ્રાર્થના કર્યા બાદ જીવ ગુમાવનારા લોકોને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.

દિવ્ય ભાસ્કર માટે લંડનથી સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ