Surendranagar: રાજયના પ્રભારી સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

0
7

રાજયના પ્રભારી સચીવના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર સરકીટ હાઉસ ખાતે ગુરૂવારે બેઠક મળી હતી. જેમાં કલેકટર, એસપી, કમીશ્નર સહિત વિવિધ વિભાગના અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજયના પ્રભારી સચિવ રાજેશ શંકરના અધ્યક્ષસ્થાને ગુરૂવારે સર્કિટ હાઉસ, સુરેન્દ્રનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર ડડૉ. રાજેન્દ્રકુમાર પટેલ, એસપી ડો. ગીરીશકુમાર પંડયા, જિલ્લા વિકાસ અધીકારી કે.એસ.યાજ્ઞીક, કમીશ્નર નવનાથ ગવ્હાણે, નિવાસી અધીક કલેકટર રાજેન્દ્ર ઓઝા સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. બેઠકમાં કલેકટરે પ્રભારી સચિવને વિવિધ વિભાગોની જિલ્લા કક્ષાએ થયેલી કામગીરી વિશે સવિસ્તાર માહિતી આપી હતી. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને પ્રિ-મોન્સુન કામગીરીની તૈયારીઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવતા સચિવે પીજીવીસીએલ વિભાગને વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા, આરોગ્ય વિભાગને મેડિકલ સ્ટાફ્, દવાનો સ્ટોક, બ્લડ બેંક અને એમ્બ્યુલન્સ પૂરતી સંખ્યામાં તૈનાત રાખવા જણાવ્યું હતું.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here