ધ્રાંગધ્રા ઝાલાવાડ ગ્રાઉન્ડમાં ઉભા કરાયેલા પોલ તૂટી જવા સાથે આડા પડી જવાથી દરરોજ વોકિંગમાં આવતા અધિકારીઓ અને સિનીયર સિટીઝનોને મુશ્કેલી પડતી હોવાથી તાત્કાલિક સમસ્યા ઉકેલવા માંગ ઉઠી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લાનું સૌથી મોટું રમતગમતનું મેદાન ઝાલાવાડ ગ્રાઉન્ડ ધ્રાંગધ્રામાં આવેલું છે. ત્યાં દિવસે રમતગમતની સાથે સાંજે વહેલી સવારે સિનિયર સિટિઝનો અને સરકારી અધિકારીઓ વોકિંગ કરવા કસરત કરવા માટે આવતા હોય છે. ત્યારે મેદાનમાં ઉભા કરાયેલા પોલ જર્જરિત અને તૂટી પડી ગયેલા હોવાથી લાઈટો પણ તૂટી ગઈ હોવાથી અંધારાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જેથી જેઠાભાઈ પટેલ,રૂગનાથભાઈ ગોઠી શહિતના સિનિયર સિટીઝનોએ આ ગંભીર સમસ્યા તાત્કાલિક ઉકેલાય એવી માંગ કરી છે.બીજી તરફ્ ગ્રાઉન્ડના ઇન્ચાર્જ છોટુભા ઝાલાને પૂછતા જાણવા મળેલ કે સ્પોર્ટ્સ ઓથોરીટી ગુજરાતના જીલ્લાના રમત ગમત કેન્દ્ર લીમડીમાં આ બાબતની જાણ કરી દેવાઈ છે જેથી ત્યાંથી કાર્યવાહી બાદ કાર્યવાહી થશે.હવે સુરેન્દ્રનગર લીંબડી કેન્દ્રમાંથી ધ્રાંગધ્રા ગ્રાઉન્ડની સમસ્યા ઉકેલવા ક્યારે કાર્યવાહી થાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે. આ ઉપરાંત વિશાળ મેદાનમાં છેલ્લાં ઘણાં સમયથી પોલ આડા પડેલી હોય ખેલાડીઓ ઉપર પણ જોખમ તોળાયેલું જોવા મળી રહ્યું છે. તેમજ વહેલી સવારે તેમજ સાંજે ચાલવા માટે મેદાનનો ઉપયોગ કરતા વરિષ્ઠ નાગરિકોને પણ અંધારપટ્ટ સાથે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.