Surendranagarમાં DYSPએ કર્યુ મોટુ કામ, ગુનાગારોનું વીજ-કનેકશન કાપીને ફટકાર્યો રૂ.12.80 લાખનો દંડ

0
7

સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ધ્રાંગધ્રામાં ગુનેગારનું વીજ કનેક્શન કાપી દંડ ફટકારાયો છે,પહેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડયા અને પછી રૂપિયા 12.80 લાખનો દંડ ફટકાર્યો છે,તો ધાંગ્રધા પોલીસે 300થી વધુ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યુ છે.

ડીવાયએસપી જે.ડી.પુરોહિતે કર્યુ મોટુ કામ

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા ડીવાયએસપી જે.ડી.પુરોહિતે મોટુ કામ કર્યુ છે,આરોપીઓને બોલાવીને શાનમાં કહી દીધુ કે જો હવે કોઈ પણ ગેરકાયદેસર કામ કરશો તો ગમે ત્યાંથી પકડીને જેલ હવાલે કરીશ,તો આરોપીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો,133 અસામાજિક તત્વોને બોલાઈ જાહેરમાં ચિમકી પણ આપી હતી,ડીવાયએસપીએ કહ્યું કે ગુનો કરશો તો તડીપાર-પાસા સહિતની કામગીરી કરવામાં આવશે.સુરેન્દ્રનગર જિલ્લામાં 68 અસામાજિક તત્વોના ગેરકાયદે વીજ જોડાણ કાપી રૂ.૩૫.૬૨ લાખનો દંડ ફટકારાયો છે.

સુરેન્દ્રનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે બોલાવી આરોપીઓને સમજાવ્યા

સુરેન્દ્રનગર ડિવિઝન હેઠળ આવતા એ-ડિવીઝન, બી-ડિવીઝન, જોરાવરનગર, વઢવાણ, મુળી, લખતર સહિતના પોલીસ મથકોની હદમાં નોંધાયેલ પ્રોહિબીશન, જુગાર, ખનીજચોરી, શરીર તેમજ મિલ્કત સબંધી, અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ શખ્સોની યાદી તૈયાર કરવામાં આવી હતી. અંદાજે ૧૫૨ જેટલા અસામાજીક તત્વોને સુરેન્દ્રનગર પોલીસ હેડ ક્વાટર ખાતે આવેલ ડીટીસી હોલ ખાતે બોલાવી ૧૦૦ કલાક ઝુંબેશ અંતર્ગત ભવિષ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં કરવા અંગેની સમજણ આપવામાં આવી હતી તેમજ અસામાજીક તત્વોને રાઉન્ડઅપ કરી તેમની હાલની પ્રવૃત્તિઓ અંગે પૂછપરછ કરી હતી.

 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here