03
પ્રવીણ કુલકર્ણીએ શું કહ્યું?
UPInvestના ફાઉન્ડર, પ્રવીણ કુલકર્ણીનું કહેવું છે કે, જેઓ SIP બંધ કરી રહ્યા છે, તેમાંના મોટાભાગના એવા રોકાણકારો છે જેઓ ડાયરેક્ટ SIP દ્વારા રોકાણ કરતા હતા. તેમને માર્ગદર્શન આપવા માટે કોઈ નહતું, તેથી તેઓ ગભરાઈને તેમનું રોકાણ અટકાવી રહ્યા છે. પરંતુ જ્યારે માર્કેટમાં સુધારો આવશે, ત્યારે SIP ફરી શરૂ થઈ શકે છે. AMFIના CEO વેંકટ ચાલસાનીના જણાવ્યા અનુસાર, SIP બંધ થવાની આ સંખ્યા સંપૂર્ણપણે ફેબ્રુઆરીની નથી. આમાં જાન્યુઆરીમાં બાકી રહેલા કેટલાક એડજસ્ટમેન્ટનો પણ સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક એકાઉન્ટ સેબી (SEBI) ના નિયમો હેઠળ બંધ કરવામાં આવ્યા હતા, જેનો રેકોર્ડ હવે અપડેટ કરવામાં આવ્યો છે.