રાજકોટ જિલ્લામાં લોઠડા પાસેના ઉનાળામાં ગરમીમાંથી રાહત મેળવવા માટે ત્રણ યુવકો તળાવમાં નહાવા પડ્યાં હતાં. જેમાં ત્રણેય 3 યુવકો ડૂબ્યા હતા, જેમાં 2 યુવાનો પોતાનો જીવ બચાવી બહાર નીકળ્યા અને એક યુવકનું મૃત્યુ નિપજ્યું છે.
ઉનાળામાં ગરમીમાં રાહત મેળવવા તળાવમાં નહાવા જતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. લોઠડા નજીકના ગરમીમાંથી રાહત મેળવવા તળાવમાં નહાવા ગયેલા ત્રણ યુવકો ડૂબ્યા હતા. જેમાં 2 યુવાનો સહીસલામત બહાર નીકળવામાં સફળ રહ્યા, પરંતુ અર્જુન મકવાણા નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ, 108ની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દુર્ઘટનામાં એક યુવક ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે સ્થાનિક આજીડેમ પોલીસને જાણ થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ 18 વર્ષીય અર્જુન મકવાણા તરીકે થઈ છે.