સ્વામિનારાયણ સંપ્રદાયનાં જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ બાપાના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વીરપુરમાં આવીને સ્વામી માફી માગે તેવી માગ સાથે રઘુવંશી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેવામાં વિવાદ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે કે, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં દેવસ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થઈ છે.
દેવસ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી
જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી મામલે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં દેવસ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માગી લેતા મામલો થાળે પડ્યો છે. માહિતી અનુસાર, આગામી સમયમાં મંદિર અને સમાજની અનુકૂળતા મુજબ જ્ઞાનપ્રકાશ સ્વામી પણ વીરપુર મંદિરે આવી પરિવારની માફી માંગશે. લોહાણા સમાજનાં અગ્રણીઓએ કહ્યું કે, જ્ઞાનપ્રકાશ સ્વામીએ પોતાનાં ફોલોઅર્સ વધારવા માટે આ બફાટ કર્યો હતો.
જ્ઞાનપ્રકાશ સ્વામી પણ વીરપુર મંદિરે આવી માફી માગશે
લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે, દેવસ્વરૂપ સ્વામીએ કહ્યું છે કે આ મામલે વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા લેખિતમાં અને વીડિયો મારફત પણ માફી માંગવામાં આવશે. દેવસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, આ બાબતે જ્ઞાનપ્રકાશ સ્વામીને પણ ઠપકો આપવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવી ઘટના ફરી વાર ન બને તેનું ધ્યાન રખાશે.
જ્ઞાનપ્રકાશ સ્વામીએ શું નિવેદન આપ્યું હતું
મહત્વનું છે કે, સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુરના જલારામ બાપા વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ પોતાના અધુરા જ્ઞાનના દર્શન કરાવતા કહ્યુ કે વીરપુરમાં ચાલતુ સદાવ્રત અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલી રહ્યું છે. જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે સદાવ્રત ચાલે તે માટે આશીર્વાદ માંગ્યા હતા. ત્યારે સ્વામીએ આશીર્વાદ આપ્યા હોવાથી આજે સદાવ્રત અન્નક્ષેત્ર ચાલી રહ્યુ છે. જો કે, બાદમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી હતી. પરંતુ તેમના નિવેદનથી થયેલો વિવાદ શાંત નથી પડ્યો.
[ad_1]
Source link