રાજકોટમાં પદ્મકુંવરબા હોસ્પિટલની બેદરકારી સામે આવી છે જેમા ભર ઉનાળે દર્દીઓ પંખા લઈને આવવા મજબૂર બન્યા છે, સંદેશ ન્યૂઝની ટીમ પહોંચતા પંખા ચાલુ કરાયા હતા અને ગઈકાલ સુધી બંધ પંખાઓ એકાએક આજે ચાલુ થયા હતા, પદ્મકુંવરબા હોસ્પિટલમાં 12 બેડ સામે 2 પંખા હતા અને હોસ્પિટલમાં દર્દીઓ, સંબંધીઓ હેરાન પરેશાન થયા છે.
વિવાદ સામે આવતા દર્દીઓને શિફ્ટ કરી દેવાયા
સમગ્ર મામલે RMO ડો.નૂતન લૂંગાતરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમનું કહેવુ છે કે, સપ્તાહથી દર્દીઓને હાલાકી હતી તેવો RMOએ સ્વીકાર કર્યો છે, હોસ્પિટલનું રીનોવેશન હાલમાં ચાલુ હોવાથી મુશ્કેલી પડી રહી છે અને આ વાત અમારા ધ્યાને આવી છે અને નવા પંખા નખાવ્યા છે, અલગ અલગ તમામ વોર્ડમાં પંખા નાખવામાં આવ્યા છે, જરૂર પડશે તો એસી પણ નાખવામાં આવશે તેવું RMOનું કહેવું છે.
હોસ્પિટલમાં ઘરેથી દર્દીઓ પંખા લાવવા મજબૂર
રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, જેમાં ભર ઉનાળે દર્દીઓ ઘરેથી પંખા લાવવા માટે મજબૂર બન્યા છે, છત પર પંખા નથી અને દર્દીઓ પોતાના ઘરેથી ટેબલ ફેન લાવવા માટે મજબૂર બન્યા છે તો મહત્વનું છે કે ગરમીમાં દર્દીઓને તકલીફ પડી રહી છે તેની વાત હોસ્પિટલના તંત્રને ખબર છે તેમ છત્તા તંત્ર પંખા મૂકવાની વ્યવસ્થા હજી કરતું નથી, તો દર્દીઓની પાસે જે સગા છે તે લોકો દુપટ્ટા વડે પંખો નાખી રહ્યાં છે.
[ad_1]
Source link