રાજકોટના જેતપુરમાં એક શ્રમિકનું વીજ કરંટથી મોત નિપજયું. ઇંટના ભઠ્ઠામાં કામ કરનાર 18 વર્ષીય શ્રમિક તેમના પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતો. શ્રમિકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો.સમાજના આગેવાનો દ્વારા શ્રમિકના પરિવાર માટે ન્યાયની માંગ કરવામાં આવી છે.
ઇંટનો ભઠ્ઠો બન્યો શ્રમિક માટે કાળ
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ જેતપુરમાં કામ કરવા દરમ્યાન વર્ષીય શ્રમિકનું મોત થયું. ખીરસરા રોડ પર ઇંટના ભઠ્ઠામાં કામ કરતા શ્રમિકને વીજ કરંટ લાગતા ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યો. શ્રમિકનું નામ કપીલ સામતભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું. 18 વર્ષીય યુવાન શ્રમિક મોડી રાતે ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો. પોતાનું કામ કરી લીધા બાદ સાઉન્ડ સિસ્ટમના સ્ટીરિયોની પિન કાઢવા જતા શ્રમિકને વીજ કરંટ લાગ્યો. વીજ કરંટ એટલો શક્તિશાળી હતો કે શ્રમિકને સારવાર અપાય તે પહેલા જ ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યો.
પરિવારે ગુમાવ્યો એકનો એક પુત્ર
મૃતક શ્રમિક પરીવારનો એક એક પુત્ર હતો. શ્રમિકની બહેનના આગામી મહિને લગ્ન હતા.પરંતુ હવે અકસ્માતે શ્રમિકનું મોત થતાં લગ્નની તૈયારી કરતો પરિવાર શોકમગ્ન થયો. શ્રમિક પરિવારનો એકમાત્ર કમાણીનો સ્ત્રોત હતો. બહેનના ધામધૂમથી લગ્ન થાય માટે શ્રમિક યુવાન પોતે પણ ખૂબ મહેનત કરતો હતો. પરંતુ અકસ્માતે મોત થતા માતાપિતાએ યુવાન પુત્ર અને બેને જવતલિયો ભાઈ ગુમાવ્યો. 18 વર્ષયી શ્રમિક પરિવાર માટે કમાણી માટેનો એકમાત્ર સ્ત્રોત હતો. પરંતુ શ્રમિકનું વીજ કરંટથી મોત થતા પરીવાર ઘેરા આઘાતમાં છે. અકસ્માતે થયેલ શ્રમિકના મોતમાં પરીવારને ન્યાય અપાવવા સમાજના આગેવાનોએ નાણાકીય સહાયની માંગ કરી.