Prayagraj Maha Kumbh Mela 2025: પ્રયાગરાજ મહા કુંભ 2025 બજેટ ઇતિહાસ ધાર્મિક અને આર્થિક મહત્વ જાણો

0
44

Prayagraj Maha Kumbh Mela 2025: મહા કુંભ મેળો 2025 પ્રયાગરાજમાં 13 જાન્યુઆર 2025થી શરૂ થઇ રહ્યો છે. મહા કુંભ મેળો માત્ર એક ધાર્મિક કાર્યક્રમ જ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પરંપરાનું જીવંત પ્રતીક છે. ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીઓનો પવિત્ર ત્રિવેણી સંગમમાં દુનિયાભરમાંથી આશરે 40 કરોડ શ્રદ્ધાળુઓ આસ્થાની ડુબકી લગાવશે. 56 દિવસ સુધી ચાલનારી આ ઘટના માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ આર્થિક અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ એક અનોખું ઉદાહરણ છે.

Maha Kumbh Mela 2025 Budget : મહા કુંભ 2025નું બજેટ અને યોજના

ઉત્તર પ્રદેશ સરકારે કુંભ 2025ના આયોજન માટે 5435.68 કરોડ રૂપિયાનું જંગી બજેટ અલગ રાખ્યું છે. આ વર્ષ 2019માં કુંભ મેળાના 4200 કરોડ રૂપિયાના બજેટથી ઘણું વધારે છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ મહા કુંભ મેળા 2025 માટે 2100 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આમ કુલ મળીને આ ધાર્મિક કાર્યક્રમ પાછળ લગભગ 7500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત 421 પ્રોજેક્ટના અમલીકરણની કામગીરી ચાલી રહી છે, જેમાંથી 3,461.99 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી મળી ચૂકી છે. આમાં મેળાના માળખાંગત વિકાસ, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા અને સ્વચ્છતાથી માંડીને શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓના વ્યવસ્થાપન સુધીના દરેક પાસાને આવરી લેવામાં આવ્યા છે.

Maha Kumbh Mela History : મહા કુંભ મેળો ઇતિહાસ અને ખર્ચનું તુલનાત્મક વિશ્લેષણ

મહા કુંભના આયોજન માટેનું બજેટ સમય સાથે સતત વધી રહ્યું છે. વર્ષ 1882માં મહાકુંભ પર માત્ર 20288 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા, જેનું મૂલ્ય આજની કિંમત મુજબ લગભગ 3.65 કરોડ રૂપિયા થાય છે. તે સમયે મહાકુંભમાં લગભગ 8 લાખ લોકોએ મૌની અમાવસ્યા પર સ્નાન કર્યું હતું, તે સમયે ભારતની કુલ વસ્તી 22.5 કરોડ હતી.

1894ના મહા કુંભ મેળામાં ભારતની વસ્તી વધીને 23 કરોડ થઈ ગઈ હતી અને લગભગ 10 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમનો ખર્ચ 69,427 રૂપિયા (આજે લગભગ 10.5 કરોડ રૂપિયા) હતો. વર્ષ 1906માં કુંભમાં લગભગ 25 લાખ લોકો આવ્યા હતા અને લગભગ 90 હજાર રૂપિયા (આજના સમયમાં લગભગ 13.5 કરોડ રૂપિયા)નો ખર્ચ કરવામાં આવ્યો હતો.

મહા કુંભ 2025 માટે ભવ્ય તૈયારી

1918ના મહા કુંભ દરમિયાન સંગમમાં ડૂબકી લગાવનાર શ્રદ્ધાળુઓની સંખ્યા વધીને 30 લાખ થઈ ગઈ. આ કાર્યક્રમનું બજેટ 1.37 લાખ રૂપિયા (આજની તારીખમાં લગભગ 16.44 કરોડ રૂપિયા) હતું. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, સમયની સાથે માત્ર શ્રદ્ધાળુઓની સંખ્યામાં જ વધારો થયો નથી, પરંતુ બજેટ અને કાર્યક્રમની વ્યવસ્થાનું સ્તર પણ વધ્યું છે.

મહા કુંભ 2025ની તૈયારીઓ પોતાનામાં જ અભૂતપૂર્વ છે. આ કાર્યક્રમને ઈતિહાસનો સૌથી મોટો અને સૌથી સંગઠિત મહા કુંભ બનાવવા માટે સરકાર અને પ્રશાસન કામ કરી રહ્યું છે. મેળાનો વિસ્તાર પહેલા કરતા અનેકગણો મોટો થઇ ગયો છે. શ્રદ્ધાળુઓ માટે સ્વચ્છતામાં સુધારો, સલામત સ્નાન ઘાટ, અસ્થાયી રહેઠાણ, તબીબી સુવિધાઓ અને પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સંગમ પાસે મેળામાં આવતા કરોડો શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ ટેન્ટ સિટી બનાવવામાં આવી છે. વીજળી, પાણી અને સ્વચ્છતા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમજ ડ્રોન અને સીસીટીવી દ્વારા મેળા પર નજર રાખવામાં આવી રહી છે જેથી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે.

Maha Kumbh 2025 : મહા કુંભ મેળાનું આર્થિક મહત્વ

મહા કુંભ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ જ નથી, પરંતુ પ્રાદેશિક અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને પણ મોટો વેગ આપે છે, એમ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમથી પર્યટન, પરિવહન, ફુડ ઈન્ડસ્ટ્રીઝ, હોટેલ્સ અને અસ્થાયી રહેઠાણ અને સ્થાનિક હસ્તકળા ઉદ્યોગોને મોટો ફાયદો થશે.

સરકારનો અંદાજ છે કે મહા કુંભ 2025 દરમિયાન કરોડો લોકોની અવરજવરથી સ્થાનિક વેપાર અને રોજગારમાં મોટો વધારો થશે. આ મેળો નાના દુકાનદારો, ટેક્સી અને રિક્ષા ચાલકો, ગાઇડ અને સ્થાનિક કારીગરો માટે આવકનો મોટો સ્રોત છે. આટલી મોટી ઘટના સાથે પડકારો પણ આવે છે. આટલા મોટા પાયા પર ભીડનું વ્યવસ્થાપન, સાફ સફાઇ અને સ્વચ્છતા જાળવવી, વીજળી અને પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવો અને શ્રદ્ધાળુઓની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે.

2025ની ઉજવણી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે કોઈ પણ ભક્તને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે. આ માટે સરકાર અને પ્રશાસને સેંકડો ટીમો બનાવી છે. મહા કુંભ 2025 દરમિયાન આરોગ્ય સેવાઓને પણ મજબૂત બનાવવામાં આવી છે, જેથી કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડી શકાય.

આ મહા કુંભ માત્ર આર્થિક અને વહીવટી દ્રષ્ટિએ જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓને પણ પ્રતિબિંબિત કરે છે. સંગમમાં સ્નાન કરવા માટે ભક્તો લાંબી યાત્રાઓ કરે છે, સંતો-મહંતોનો મેળાવડો થાય છે અને યોગ, ધ્યાન અને પ્રવચન જેવા કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે.

આ પણ વાંચો : Mahakumbh 2025: જ્યારે હિંદુ ધર્મની રક્ષા માટે હજારો નાગા સાધુઓએ યુદ્ધ લડ્યું, જાણો નાગા સાધુઓનો ઈતિહાસ

મહા કુંભ 2025 કાર્યક્રમ દરમિયાન દેશ-વિદેશના અનેક અગ્રણી સંતો, રાજનેતાઓ અને જાણીતી હસ્તીઓ સંગમમાં ડુબકી લગાવે છે. આ ઘટના માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ સીમિત નથી, પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક દ્રષ્ટિએ પણ તેનું ઘણું મહત્વ છે. મહાકુંભ 2025 માત્ર એક ધાર્મિક મેળો નથી પરંતુ એક એવો તહેવાર છે જે ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આધુનિકતાનો સંગમ છે. તેના આયોજનનો ખર્ચ, વ્યવસ્થાઓનું વિસ્તરણ અને તેની સાથે સંકળાયેલી આર્થિક પ્રવૃત્તિઓ તેને એક અસાધારણ અભૂતપૂર્વ ઘટના બનાવે છે. આ વખતે મહા કુંભ 2025 માત્ર શ્રદ્ધાળુઓને જ નહીં પરંતુ દુનિયાને પણ સંદેશ આપશે કે કેવી રીતે ભારત પોતાની સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખે છે અને આધુનિકતા સાથે જોડીને તેને એક નવા સ્વરૂપમાં રજૂ કરે છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here