PM Modi Gujarat Visit: અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, કચ્છ અને વડોદરામાં સ્વાગતની તડામાર તૈયારીઓ શરુ PM Modi Gujarat Visit Preparations for the grand welcome have begun in Ahmedabad Gandhinagar Dahod Kutch and Vadodara vsd

0
9

Last Updated:

ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેમની આ ખાસ મુલાકાતની ભવ્ય તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

તડામાર તૈયારીઓ શરુતડામાર તૈયારીઓ શરુ
તડામાર તૈયારીઓ શરુ

PM Modi Gujarat Visit: ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ ખાસ પ્રવાસને લઈને ગુજરાતના પાંચ મોટા શહેરો અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, કચ્છ અને વડોદરામાં ભવ્ય સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી તેમજ વહીવટી તંત્ર દ્વારા એક પછી એક બેઠકો યોજાઈ રહી છે અને સમગ્ર કાર્યક્રમનું પ્લાનિંગ ઉચ્ચ સ્તરે ચાલી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તા. 26 મેને સોમવારે વડોદરા એરપોર્ટે પહોંચશે. અહીં તેમના આગમન વખતે ભવ્ય સ્વાગતના આયોજનની તૈયારીઓ ચાલી રહી છે. વડોદરાથી તેઓ સીધા દાહોદ જવા રવાના થશે, જ્યાં દાહોદ રેલવે વર્કશોપમાં 20,000 કરોડના લોકોમોટિવ એન્જિન ઉત્પાદન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાશે. આ અવસરે દેશના માટે પ્રથમ વખત તૈયાર થયેલું 9,000 હોર્સપાવરનું એન્જિન રાષ્ટ્રીય સેવા માટે અર્પણ કરાશે. દાહોદમાં વડાપ્રધાન એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે.

55,000 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

દાહોદના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ PM મોદી ત્યાંથી કચ્છ જવા રવાના થશે, જ્યાં ભુજ નજીક રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી શરૂ થતી અને મહારાષ્ટ્રના નાગપુર સુધી નેશનલ પાવર ગ્રીડમાં જોડાતી હેવી વીજ લાઈન સહિતના વિવિધ મેગા પાવર પ્લાન્ટના 55,000 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. જ્યાંથી તેઓ અમદાવાદ આવવા રવાના થશે.

રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો

વડાપ્રધાન મોદી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જેથી અમદાવાદ એરપોર્ટથી લઈ ઇન્દિરા બ્રિજ સુધીના રસ્તાને PMના ભવ્ય સ્વાગત માટે શણગારાઈ રહ્યો છે. PMના રોડ શો દરમિયાન વિભિન્ન જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો, નાગરિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને ભાજપના કાર્યકરો વડાપ્રધાનના ઉપસ્થિતિને વંદન કરશે. PMના રોડ શોના મુખ્ય રૂટ ગાંધીનગરમાં રાજભવનથી સેન્ટ્રલ વિસ્ટા થઈ મહાત્મા મંદિર સુધીનો રહેશે, જ્યાં અંદાજે 10,000થી વધુ નાગરિકો ઉમટી પડશે.

તૈયારીઓમાં પુરજોશમાં

મંગળવારે વડાપ્રધાન મહાત્મા મંદિર ખાતે ગુજરાતના શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણીની શરૂઆત કરશે. આ કાર્યક્રમ હેઠળ સાબરમતી રિવરફ્રન્ટના ત્રીજા તબક્કા સહિત 4,800 કરોડના વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થશે. જે માટે ગાંધીનગર તથા અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર પણ સ્ટ્રીટ ક્લીનિંગ, રસ્તાની દુરસ્તી તથા ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની તૈયારીઓમાં પુરજોશે લાગ્યું છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here