પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ દ્વારા પોતાના સમાજની દીકરીઓ માટે આયોજિત કરતાં ગર્ભાશયના કેન્સર પ્રતિરોધક રસીકરણના નિઃશુલ્ક કાર્યક્રમોની પ્રેરણા મેળવી વીરમાયા સેના પાટણ આયોજિત કરવામાં આવ્યો હતો.
વીરમાયા સેના પાટણ આયોજિત આ નિઃશુલ્ક સર્વાઈકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમને 135 વણકર સમાજના સૌ પરિવારજનો સહિત સમાજની દીકરીઓએ સરાહનીય લેખાવી દાતા પરિવાર સહિત આયોજકોનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
પાટણ સ્થિત હાંસાપુર નજીકની વણકર સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવેલ નિઃશુલ્ક સર્વાઈકલ કેન્સર પ્રતિરોધક રસીકણ કાર્યક્રમમાં સમાજના દાતા ગંગાબેન કાંતિભાઈ સોલંકી, ર્ડા.કે.પી.સુતરીયા, મેહુલભાઈ વાઘેલા સાથે વીરમાયા સેના પાટણના સેવાભાવી સભ્યો મનિષભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ પરમાર, અનિલભાઈ પરમાર, જયેશભાઈ મકવાણા, ઉત્તમભાઈ પરમાર સહિત સમાજ આગેવાનો તેમજ યુવા કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.