Patanમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજની એકતા માટે બેઠક યોજાઈ

0
3

પાટણમાં ઠાકોર સમાજની એકતા અંગે બેઠક યોજાઈ હતી. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવાથી સમાજની એકતા અને રાજકીય ગતિવિધિઓ અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઠાકોર સમાજના આગેવાનો અને કોંગ્રેસના ટોચના નેતાઓ હાજર રહ્યાં હતાં. આ બેઠક ઠાકોર સમાજને કોંગ્રેસ તરફ વાળવા માટે યોજાઈ હોવાનું જાણવા મળ્યું છે.

કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગ ભવનમાં ઠાકોર સમાજની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઠાકોર સમાજના આગેવાનો અને કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યાં હતાં. સાંસદ ગેનીબેન પણ આ બેઠકમાં જોડાયા હતાં. આગામી સમયમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે ઠાકોર સમાજને પોતાની તરફ વાળવા માટે આ બેઠક યોજાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.કોંગ્રેસના ભરત સોલંકી અને જગદીશ ઠાકોર સહિતના નેતાઓ આ બેઠકમાં હાજર હોવાથી આ બેઠક રાજકીય ગતિવિધિઓ માટે યોજાઈ હોવાની અટકળોએ જોર પકડ્યું છે.

ઠાકોર સમાજની એકતા માટે બેઠક

પાટણમાં યોજાયેલી આ બેઠક ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજની એકતા અને સમાજમાં નવસંચાર માટે યોજાઈ હતી. પરંતુ તેમાં કોંગ્રેસના નેતાઓની હાજરીથી અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા હવે ઠાકોર સમાજને પોતાની તરફ વાળવા માટેના પ્રયાસો શરૂ કરાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બેઠકમાં ઠાકોર સમાજના આગેવાનોને એકઠા કરીને સમાજને કોંગ્રેસ તરફ વાળવા માટે રણનીતિ ઘડવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here