નડિયાદના સલુણ ગામે બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થયા બાદ પથ્થરમારાની ઘટના બની હતી,તો તળપદા-મહિડા વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો થતા લોકોમાં દોડધા મચી હતી,તો આ પથ્થરમારામાં બે લોકોને ઈજા પહોંચતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી છે.
ટોળા સામે નોંધાઈ ફરિયાદ
આ સમગ્ર મામલે ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જેમાં 20 સામે નામજોગ અને 30ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે,ગલ્લા પર હોર્ન મારી સિગારેટ માંગવાને લઈ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે તો રોડની સામેથી પથ્થરમારો થયો હોવાની વાત સામે આવી છે,પોલીસે સમગ્ર ઘટનાને લઈ આરોપીઓની ધરપકડ કરી લીધી છે,તો કુલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને બે લોકો વધુ ઈજાગ્રસ્ત થતા અમદાવાદ સારવાર હેઠળ ખસેડાયા છે.
અથડામણમાં 5 લોકોને પહોંચી હતી ઇજાઓ
આ સમગ્ર ઘટનામાં નડિયાદ રૂલર પોલીસે વધુ તપાસ હાથધરી છે અને પોલીસે સીસીટીવી પણ જપ્ત કર્યા છે,ત્યારે નડિયાદ રૂલર પોલીસનું કહેવું છે કે જૂની અદાવતમાં આ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે.ઘટના બનતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો,ત્યારે આ ઘટનામાં હજી કોઈ બબાલ ના થાય તે માટે પોલીસની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે,ત્યારે જોવાનું એ રહ્યું કે જે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે તેમની હાલત વધુ ખરાબ ના થાય.તહેવારોના સમયે ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓ વધુ બનતી હોય છે.