Jamnagar શહેરને લાગશે ચાર ચાંદ, ઐતિહાસિક રંગમતી નદી ઉપર બનશે રિવરફ્રન્ટ

0
8

જામનગર શહેરને નવું નજરાણું મળી રહ્યું છે, અને લોક ભાગીદારીથી તેમજ ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતીની ઉજવણીના ભાગરૂપે જામનગરની ઐતિહાસિક રંગમતી નદી કે જેના પર રિવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ મંજૂર થયો છે. જેમાં આજે પ્રાથમિક તબક્કે રૂપિયા ચાર કરોડના ખર્ચે નદીને ઊંડી ઉતારવાની કામગીરીનો પ્રારંભ થઈ ગયો હતો. ત્યારે આજે જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ આ કામગીરી અંગે સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા.

રિવરફ્રન્ટ પ્રોજેકટનો પ્રથમ તબકકો શરૂ થઇ ચૂકયો છે

જામનગરની ઐતિહાસિક રંગમતી નદી ઉપર રિવરફ્રન્ટ પ્રોજેકટનો પ્રથમ તબકકો શરૂ થઇ ચૂકયો છે, જેમાં રૂ. .૪ કરોડના ખર્ચે રંગમતી નદીને ઉંડી અને પહોળી કરવા માટેની કાર્યવાહી કોર્પોરેશને શુભારંભ કર્યો છે, નદી પરના રૂ.૫૦૦ કરોડનો પ્રોજેકટ જામનગર માટે પાણીદાર સાબિત થશે, એટલું જ નહીં મુખ્યમંત્રી સ્વર્ણિય જયંતિ યોજના હેઠળ રૂ.૧૨૫ કરોડના પ્રથમ ફેઇઝનું કામકાજ શરૂ થશે અને માર્ગમાં અવરોધ ૪૫૦ જેટલા ગેરકાયદે બાંધકામો હટાવી દેવામાં આવશે.

ધારાસભ્યએ અધિકારીઓને આપ્યું માર્ગદર્શન

ધારાસભ્ય રીવાબા જાડેજાએ રિવરફ્રન્ટ પ્રોજેકટ જયાંથી શરૂ થાય છે તે લાલપુર બાયપાસ ચોકડી ખાતે મુલાકાત લઇને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, બાયપાસ ચોકડીથી વ્હોરાના હજીરા સુધી રૂ.૪ કરોડના ખર્ચે તા.૧૫ જુન સુધીમાં રંગમતી નદીને પહોળી અને ઉંડી કરવામાં આવશે તેમ સીટી ઇજનેર ભાવેશ જાનીએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું અને કહ્યું હતું કે, રૂ.૫૦૦ કરોડના આ મહત્વના પ્રોજેકટમાં પ્રથમ ફેઇઝમાં રૂ.૧૨૫ કરોડના કામનું આયોજન કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ કામગીરી શરૂ થઇ છે.

ચોમાસાને ધ્યાને રાખીને ઝડપી કામગીરી કરાશે

તેમણે વધુમાં કહ્યું હતું કે, આગામી દિવસોમાં ૧૫ હીટાચી મશીન, ૫ જેસીબી અને ૧૫ ડમ્પરનો ઉપયોગ કરીને જેમ બને તેમ ઝડપથી ચોમાસા પહેલા એટલે કે ૧૫ જુન સુધીમાં આ કાર્યવાહી કરવામાં આવશે. સરકાર સમક્ષ પણ રીવરફ્રન્ટના પ્રોજેકટ અંગે અનુદાનની વધુ રકમ માંગવામાં આવી છે, રિવરફ્રન્ટ પ્રોજેકટને આગળ વધારવા માટે ૨ જેસીબી અને અન્ય મશીનરી કામે લગાડવામાં આવે છે, બે-ત્રણ દિવસમાં જ વધુ મશીનરી લગાવી દેવામાં આવશે. આગામી ચોમાસાને ઘ્યાનમાં રાખીને દર વખતે આ વિસ્તારમાં પાણી ભરાય છે ત્યારે એ સમસ્યા ઉકેલવાના ભાગરૂપે આ પ્રોજેકટ ઝડપથી શરૂ કરવામાં આવ્યો છે.

રંગમતી નદીની કાયાપલટ થઇ જશે

નદીને બંને તરફ પહોળી કરવામાં આવશે અને ઉંડી ઉતારવામાં આવશે જેથી દરીયામાં વહી જતું પાણીનો સંગ્રહ થશે, જામનગર શહેરનો રિવરફ્રન્ટનો પ્રોજેકટ ઝડપથી શરૂ થાય તે માટે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો અને લગત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી અને નદીના પટમાં જઈ અધિકારીઓ સાથે આ પ્રોજેક્ટને લઇ સમીક્ષા કરી હતી,છેલ્લા કેટલાક દિવસથી રીવરફ્રન્ટના તેમ જાણવા મળે છે, રિવરફ્રન્ટ જેમ બને તેમ ઝડપથી બને તે માટે કોર્પોરેશનને પ્રયત્નો હાથ ધર્યા છે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ઐતિહાસિક રંગમતી નદી ઉપર બની રહ્યો છે તે પ્રોજેકટ બન્યા પછી રંગમતીની કાયાપલટ થઇ જશે, લાલપુર બાયપાસથી વ્હોરાના હજીરા સુધી બંને બાજુથી નદીને ખોદવાની અને ઉંડી કરવાની કામગીરી શરૂ થઇ ગઇ છે ત્યારે આ કામગીરી ઝડપી બને તે માટે પ્રોજેકટને આડે આવતા લગભગ ૪૫૦ જેટલા ગેરકાયદેસર બાંધકામોનું લીસ્ટ તૈયાર થઇ ચૂકયું છે અને ગમે ત્યારે આ પાડતોડ શરૂ કરવામાં આવશે. ચોમાસા પહેલા ઝડપથી વધુ મશીનરી કામે લગાડીને નદીને પહોળી અને ઉંડી કરવામાં આવશે.

 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here