જામનગરમાં શાકભાજી પકવતા ખેડૂતોને પૂરતા ભાવ ના મળતા તેઓની સ્થિતિ કફોડી બની છે. ખેડૂતોની ઉપજના ભાવ દિવસે-દિવસે ગગડતા જાય છે. જેના કારણે ખેતરોમાં તૈયાર થયેલ પાકો યાર્ડ સુધી પહોંચાડવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે સરકાર દ્વારા શાકભાજીના પોષણશ્રમ ભાવ નક્કી કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે,
શાકભાજીના નથી મળતા સરખા ભાવ
આ છે જામનગર પંથકના શાકભાજી પકવનાર ખેડૂતો. તેઓ પોતાના શાકભાજી ટમેટા, રીંગણાં, કોબી, મરચી સહિતના ભાગ ગગડતા મુશ્કેલી અનુભવી રહ્યાં છે. માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીના ખેડૂતો વેપારીઓને શાકભાજી વેંચવા માટે જાય છે જ્યાં શાકભાજીના ભાવ ખેડૂતોને એક કીલોનો ભાવ ફક્ત પાંચ રૂપિયા જ મળી રહ્યાં છે. જયારે એ જ શાકભાજી બજારમાં એક કિલોનો રૂપિયા 20 લેખે વેચાઈ રહયા છે.ત્યારે ખેડૂતોએ મહામહેનતે પકાવેલા શાકભાજી ઢોરને અથવા કચરામાં ફેંકીને જતા રહે છે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
ખેડૂતોએ પોતાના ખેતરમાં શાકભાજીનું ભારે વાવેતર કરેલ છે
વાવેતર કરનાર ખેડૂતો ને એવી આશા હતી કે શાકભાજીની ખેતી કરી તમામ પાકો વાવણી થઇ જાય એટલે સારાં ભાવ મળશે ઘર ગુજરાન વ્યવસ્થિત ચાલશે. પરંતુ દિવસે-દિવસે ભાવો ગગડી રહ્યાં છે, ખેડૂતો ના તૈયાર પાકોને પોષણભાવ નથી મળી રહ્યા તેને લઈને ખેડૂતો મુંઝવણમાં મૂકાઈ ગયા છે. તેઓએ શાકભાજી વાવેતર કરેલ ત્યારે ઘણો ખર્ચ વીઘે કરવામાં આવેલ પણ જેટલી પડતર કિંમત છે તેનાં 50% પણ ભાવ નથી મળતાં. ખેડૂતો જણાવી રહ્યાં છે કે ખરીદીમાં વેચાણમાં તકલીફ થાય છે, વેપારીઓને ઉધાર દેવું પડે છે, સામે રોકાણ કરવું પડે છે, અને યાર્ડમાં બધો માલ આવે છે, તેથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
શાકભાજી સડી રહ્યાં છે
એક તરફ પોષણભાવ ન મળતાં ખેડૂતોના ખેતરમાં જ તમામ ટમેટા, રીંગણાં સહિતના શાકભાજી સડી રહ્યા છે. ખેડૂતો સરકાર પાસે આશા લઈને ને બેઠા છે કે સરકાર કોઈ શાકભાજી પકવતાં ખેડૂતો સામે જોવે અને શાકભાજી પકવતાં ખેડૂતો નેં શાકભાજીનાં પોષણભાવ મળે તે માટે પગલા લેવા ખેડુતોએ માંગણી કરી છે.