ઉનાળા ની ઋતુ શરૂ થતા અનેક જગ્યા પર હાઇવે પર ઠંડા પીણા થી લઈ ને શેરડીના સ્ટોલો લાગી ગયા છે. અને લોકો ઉનાળાની ગરમીના કારણે ઠંડા પીણા ની મોજ માણતા હોય છે.
ત્યારે ધોળકાના વટામણ ચોકડી પર શેરડીના સ્ટોલો લાગ્યા છે. અને શેરડીના રસના સ્ટોલોના દુકાનદારો શેરડીના કૂચા ને મોટી માત્રામાં વટામણ વારણા હાઇવે ની સાઇડ માં નિકાલ કરી રહ્યા છે. અને શેરડીના વેસ્ટ કૂચા ને રોડ ની સાઈડમાં નિકાલ કરી તેને સળગાવવામાં આવી રહ્યા છે. ત્યારે અવર જવર કરતા નાના મોટા વાહન ચાલકો ને ધુમાડાના કારણે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે ની સાઇડ માં સળગાવવામાં આવતા શેરડીના કૂચાના ધુમાડાના કારણે વાહન ચાલકો ને અકસ્માતનો પણ ભય રહે છે. વટામણ ચોકડી થી વારણા તરફ્ જવાના હાઇવે ની સાઇડ માં શેરડીના કૂચા ને સળગાવતા હાલાકી નો સામનો વાહન ચાલકો કરી રહ્યા છે. વટામણ ચોકડી પર પેટ્રોલ પંપ પણ આવેલા છે. છતાં શેરડીના કુચાને આગ ચાપી દેવામાં આવી રહી છે. આ આગ કારણે જો કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ ? આગના કારણે કોઈ મોટી દુર્ઘટના થશે તો શેરડીનારસવાળા દુકાનદારો જવાબદારી લેશે કે પછી તંત્ર જવાબદારી લેશે ? તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ તે જરૂરી બન્યું છે.