નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના શીર્ષ નેતાઓ સામે કાર્યવાહી વચ્ચે રાજકીય તણાવ વધી રહ્યો છે. કોંગ્રેસ જ્યાં તેમના નેતાઓ સામેની કાર્યવાહીને રાજકીય બદલો ગણાવી રહી છે, ત્યાં ભાજપે પણ હવે આક્રમક વલણ અપનાવ્યું છે.અમદાવાદ જિલ્લા ભાજપે ધોળકા શહેરમાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપનો આરોપ છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. તેમાં કોંગ્રેસના નેતાઓની સંડોવણી છે. કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ભાજપના પદાધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યાહતા. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસમાં ફરિયાદ દાખલ થઈ છે. આ મુદ્દે કોંગ્રેસ પણ દેશભરમાં પ્રદર્શન અને ધરણા કરી રહી છે.