Ahmedanad Plane Crash: હેલ્પ લાઈન-કંટ્રોલ રૂમના નંબર્સ જાહેર, નોંધી લો આ બહુ જ અગત્યના નંબર્સAhmedanad Plane Crash Helpline-Control Room Numbers Announced Note Down These Very Important Numbers vsd

0
18

Last Updated:

અમદાવાદમાં આવે પ્લેન ક્રેશની ગંભીર દુર્ઘટના ધટી છે, જે અંગે સરકારે અને એર ઈન્ડિયા કંપની તથા સહિત પોલીસ વિભાગે પણ અગત્યના નંબરો જાહેર કર્યા છે. જેના પર સંપર્ક કરવાથી આ દુર્ઘટના અંગેની સચોટ માહિતી અને સહયોગ મળી રહેશે.

નોંધી લો આ બહુ જ અગત્યના નંબર્સનોંધી લો આ બહુ જ અગત્યના નંબર્સ
નોંધી લો આ બહુ જ અગત્યના નંબર્સ

Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલી AI171 પ્લેન ક્રેશ દુર્ઘટના માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જરૂરી હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા છે. દુર્ઘટનામાં સામેલ પોતાના સ્વજનોની માહિતી મેળવવા માટે તમે હેલ્પ લાઈન નંબર 011-24610843, 9650391859, 9974111327 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. બીજી તરફ, આ માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

આ દુર્ઘટનામાં એર ઇન્ડિયા કંપનીનું પ્લેન સામેલ છે, તેથી એર ઇન્ડિયાએ કંપનીએ પણ પેસેન્જર માટે સમર્પિત નંબર 1800 5691 444 જાહેર કર્યો છે. તો મીડિયા માટે +91 98214149 નંબર જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસની ઇમર્જન્સી સેવાઓ અને તેને લગતી જરૂરી માહિતી માટે અમદાવાદ શહેર પોલીસનો ઇમર્જન્સી નંબર 07925620359 આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમર્જન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર 6357373831, 6357373841 હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાની જાણ થતાં તેમણે બારડોલી ખાતે કેન્દ્રિય કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ ખેડૂત સંમેલન દરમિયાન તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા સૂચનાઓ આપી હતી.  તેમણે મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલીફોન પર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સુચનાઓ આપી હતી.

ત્યાર બાદ તેઓ તેમના અગાઉથી નિર્ધારિત કરેલા તમામ કાર્યક્રમો રદ કરીને સુરતથી વિમાન દ્વારા વડોદરા પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર હેલિપેડ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ તરંત જ ઘટનાસ્થળે પહોંચીને જાતે માહિતી મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનીક વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી.

નોંધનિય છે કે, લંડન માટે ઉડાને ભરેલી ફ્લાઈટ AI171 ક્રેશ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ફ્લાઈટમાં ગુજરાતના ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સહીત 242 સવાર હતા. જેમાં થયા 170 લોકોના મોત થયા હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. જોકે, આ આંકડો હજુ પણ વધી શકે તેવી આશંકા સેવાઈ રહી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here