Ahmedabad plane crash: સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા મૃતકોના પરિવારને મળ્યા

0
12

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 274 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. એર ઈન્ડિયાના આ પ્લેનમાં 242 મુસાફરો સવાર હતા તેમાંથી 241 લોકો મોતને ભેટ્યા છે જ્યારે એક માત્ર વ્યક્તિ વિશ્વાસ રમેશ કુમારનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. મેઘાણીનગરમાં ક્રેશ થયેલું વિમાન BJ મેડિકલ હોસ્ટેલ પર પડ્યું હતું.જેમાં પણ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સના દુર્ઘટનામાં મોત હતા.પ્લેન ક્રેશમાં મૃતકના પરિવારને સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ સાંત્વના પાઠવી છે.

સાંસદ શોભના બારૈયા મૃતકના પરિવારને મળ્યા

પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોના પરિવાને સાંસદ શોભના બારૈયાએ મળીને સાંત્વના આપી હતી. મોડાસાના ડુઘરવાડા ખાતે જયશ્રીબેનના પરિજનો સાથે કરી મુલાકાત કરી હતી.અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા બાદ કાટમાળ હટાવવામા આવી રહ્યો છે.આ દરમિયાન પ્લેનનું બ્લેક બોક્સ શોધવા માટે તંત્ર કામે લાગ્યું હતું.અમદાવાદ મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમને બ્લેક બોક્સ શોધવામાં સફળતા મળી છે.AMCની ફાયર ટીમ દ્વારા આ બ્લેક બોક્સના ભાગને DGCA અને AAIBની ટીમને સોંપવામાં આવશે.બ્લેક બોક્સ પરથી વિમાન કેમ ક્રેશ થયું તેનું કારણ જાણી શકાશે.

સ્વજનોને ગુમાવવાનો દુઃખદ માહોલ જોવા મળ્યો

પ્લેન ક્રેશની ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. સિવિલ હોસ્પિટલ ઘાયલો અને તેમના સંબંધીઓથી ઉભરાયા હતા.અહીં પોતાના સ્વજનોને ગુમાવવાનો દુઃખદ માહોલ જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલના કર્મીઓએ સમગ્ર આપવીતી વર્ણવી હતી. પ્લેન દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ સમગ્ર કહાનીની જુબાની આપી હતી. સિવિલ સ્ટાફે જણાવ્યુ હતુ કે, તેઓ 40થી વધુ સ્ટેચરમાં દર્દીઓને લઇ જઇ રહ્યા હતા. હોસ્પિટલમાં બુમો અને ચીસો જ સંભળાતી હતી. સ્ટાફે વધુમાં કહ્યુ હતુ કે, રાત્રે ઊંઘમાં પણ એ દ્રશ્ય યાદ આવતા હતા. તો આ તરફ, પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યુ હતુ કે, આ નહીં ભુલાય એવી ઘટના છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here