More than 800 students participated in a state-level conference for agricultural development. | એગ્રીવિઝન-2025નો દાંતીવાડામાં પ્રારંભ: 800થી વધુ વિદ્યાર્થીઓની ભાગીદારી, કૃષિ વિકાસ માટે રાજ્યકક્ષાનું અધિવેશન – banaskantha (Palanpur) News

0
6

દાંતીવાડા સરદાર કૃષિનગરમાં “આત્મનિર્ભર ભારત થકી સર્વાંગી કૃષિ વિકાસ” વિષય પર રાજ્ય કક્ષાનું ત્રીજું એગ્રીવિઝન અધિવેશન યોજાયું. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને એગ્રીવિઝન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અધિવેશનનું ઉદ્ઘાટન યૂનિવર્સિટીના

.

કુલપતિ ડૉ. ચૌહાણે કૃષિ ક્ષેત્રના સશક્તિકરણની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે યુનિવર્સિટી દ્વારા 75 દત્તક ગામોમાં કૃષિ વિકાસ, જળસંચય અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ થઈ રહી છે.

બે દિવસીય આ અધિવેશનમાં છ અલગ-અલગ ગ્રુપમાં વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ દ્વારા વિચારોનું આદાન-પ્રદાન કરાશે. કૃષિ વિદ્યાર્થીઓ માટે સંસદ અને આધુનિક કૃષિ પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે.

ડૉ.લક્ષ્મણ ભુતડિયાએ ગામડાઓ અને કૃષિને ભારતની મુળ શક્તિ ગણાવી. રાષ્ટ્રીય પ્રભારી ડૉ.વિક્રમસિંહ ફરસ્વાએ કૃષિમાં ઉદ્યોગ સાહસિકતા, પ્રાકૃતિક ખેતી અને ગૌ-પાલન અંગે માર્ગદર્શન આપ્યું.

રાજ્યની છ કૃષિ યુનિવર્સિટીઓમાંથી 800થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 500થી વધુ વિદ્યાર્થીઓએ કૃષિ અને પશુપાલન વિષયક પત્રો રજૂ કર્યા. આભાર વિધિ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.પી.ટી.પટેલે કરી.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here