Welcome to AirrNews

Subscribe to AirrNews

Forever

/ forever

Sign up with just an email address and you get access to this tier instantly.

Recommended

Forever

Free

/ forever

Sign up with just an email address and you get access to exclusive news and articles forever.

1-Month

/ month

By agreeing to this tier, you are billed every month after the first one until you opt out of the monthly subscription.

Subscribe to AirrNews

Forever

/ forever

Sign up with just an email address and you get access to this tier instantly.

Recommended

Forever

Free

/ forever

Sign up with just an email address and you get access to exclusive news and articles forever.

1-Month

/ month

By agreeing to this tier, you are billed every month after the first one until you opt out of the monthly subscription.

Welcome to AirrNews

Welcome to AirrNews

Welcome to AirrNews

Welcome to AirrNews

Himatnagar: તારંગાથી આબુરોડ ટ્રેક પર 13 ટનલ બનશે

HomeHimatnagarHimatnagar: તારંગાથી આબુરોડ ટ્રેક પર 13 ટનલ બનશે

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ગબ્બરના ગોખવાળી, ચાચરના ચોકવાળી અંબે માને ગુજરાત સહિત ભારતના અનેક રાજયોમાં ઉપરાંત વિદેશમાં રહેતા અનેક લોકો અવાર નવાર માતાજીના ચરણોમાં શિશ ઝુકાવવા માટે ધર્મપ્રેમી જનતા આવે છે.

ત્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને અંબાજીને શક્તિપીઠ બનાવીને માતાજીની આસ્થામાં વધારો કરવામાં જરાયે પણ કસર છોડી નથી ત્યારે તારંગાથી અંબાજી થઈ આબુરોડ સુધી રેલવે લાઈન માટે કરોડો રૂપિયાનો પ્રોજેકટ અમલમાં મૂકાયો છે જેથી રેલવે તંત્રએ વિદેશોમાં બનેલી રેલવે લાઈન, રેલવે સ્ટેશન, ગરનાળા અને ટનલનું નિરીક્ષણ કરી અંબાજીની થીમ પર રેલવે સ્ટેશન બનાવવાનો નિર્ણય કર્યો છે જેનું કામ પણ પ્રગતિમાં છે. સુચિત રેલવે લાઈનનું કામ ચાલી રહ્યું છે ત્યારે તારંગાથી આબુરોડ સુધી અંદાજે 13 ટનલ બનશે.

આ અંગેની વિગત એવી છે કે, થોડાક મહિના અગાઉ કેન્દ્ર સરકારે ગુજરાતને વધુ એક નજરાણું ભેટ રૂપે આપવા માટે નિર્ણય કર્યો હતો જેના માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં રેલવે સ્ટેશન બનાવવા માટે ખાતમૂર્હત કર્યું હતુ. ત્યારબાદ તબક્કાવાર અન્ય કેન્દ્રીય અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અન્ય મંત્રીઓએ પણ અંબાજીની મુલાકાત દરમિયાન રેલવેના અધિકારીઓ પાસેથી કામની પ્રગતિની વિગતોથી વાકેફ થઈ રહ્યા છે. તો બીજી તરફ રેલવે તંત્રે અંબાજી-આબુરોડ-તારંગા સુધી ઓસ્ટ્રેલિયન પધ્ધતિથી સુરંગ બનાવવાનું નક્કી કર્યું છે જે મુજબ સિયાવાને મુખ્ય બેઝ બનાવશે એટલુ જ નહીં પણ અંબાજીમાં સૌથી લાંબી સુરંગ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે. આ નવી બ્રોડગ્રેજ સુચિત રેલવે લાઈન પર કામ પુરજોશમાં ચાલી રહયુ છે ત્યારે કેટલેક ઠેકાણે રેલવેના નિષ્ણાંત અધિકારીઓએ જમીનના નમુના લઈ પૃથ્થકરણ કરાવી દીધુ છે. સાથો સાથ સુચિત રેલવે લાઈન જયાંથી પસાર થવાની છે તે સ્થળે જમીન સમતળ કરવાનું અને જરૂર પડે ત્યાં ઝાડ કટીંગનું કામ પણ ધમધોકાર શરૂ કરી દેવાયું છે.

ઉલ્લેખનીય છે કે, સુચિત રેલવે લાઈન પર અંબાજીથી આબુરોડ વચ્ચે 13 ટનલ બનાવવાની છે તે માટે અંદાજે રૂ.28 અબજથી વધુના ખર્ચનો પ્રોજેકટ તૈયાર કરી દેવાયો છે. જયારે પણ આ રેલવે લાઈન તૈયાર થઈ જશે ત્યારે નવી ઓસ્ટ્રેલિયન ટનલમાં 13 કિ.મી.ની મુસાફરી કરનાર મુસાફરોને નવો અનુભવ મળશે. રાજસ્થાનમાં આવેલ આબુરોડ(સિરોહી), અંબાજી-આબુ રોડ-તારંગા હિલ નવી રેલ યોજનાના કામ પ્રગતિમાં છે. આશરે રૂ.28 અબજના મૂલ્યના આ 116.65 કિ.મી. લાંબા પ્રોજેક્ટ હેઠળ, ઉધમપુર-કટરા રેલવે લાઇન પ્રોજેક્ટમાં ટનલનું નિર્માણ ન્યુ ઓસ્ટ્રિયન ટનલીંગ પધ્ધતિથી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.

ગુજરાતમાં શક્તિપીઠ અંબાજી પાસેથી પસાર થતા આ રેલ્વે માર્ગ પર 13 ટનલ બનાવવામાં આવશે. જેની લંબાઈ લગભગ 13 કિલોમીટર હશે. આબુરોડ વિસ્તારમાં પ્રોજેક્ટના કામે વેગ પકડયો છે. હાલ જમીન લેવલીંગ, માટી અને અન્ય ટેસ્ટીંગ વગેરે કામો ચાલી રહ્યા છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એન્જિનીયરો અને અન્ય કર્મચારીઓ નિર્ધારિત સમયગાળામાં આ કાર્ય પૂર્ણ કરવામાં વ્યસ્ત છે.

કેટલા હેકટર જમીનનો ઉપયોગ થશે

આ પ્રોજેક્ટ માટે ગુજરાતના ત્રણ જિલ્લાઓમાંથી કુલ 409.480 હેક્ટર વિસ્તારનો ઉપયોગ કરવામાં આવશે. જ્યાં 33 મોટા પુલ બનાવવામાં આવશે. જેમાં મહેસાણાના સતલાસણામાં 8, બનાસકાંઠાના દાંતામાં 17 અને સાબરકાંઠાના પોશીનામાં 8 પુલનો સમાવેશ થાય છે. મહેસાણા, ખેરાલુ અને સતલાસણામાં 2 રોડ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. દાંતા અને પોશીનામાં 1-1 પુલ બનાવવામાં આવશે. 47 અંડરબ્રિજ હશે જેમાં સતલાસણામાં 13, દાંતામાં 28 અને પોશીનામાં 6નો સમાવેશ થાય છે. જેથી નજીકના ગામોને વધુ સારી સગવડ પ્રદાન કરશે, ઉદ્યોગોને વેગ મળશે જેથી રોજગારીની તકોમાં વધારો થશે. અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં માર્બલ ઉદ્યોગનો વધુ વિકાસ થયો છે. રેલવે માર્ગ ફક્ત માર્બલના પરિવહન માટે વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.

રેલવેના અધિકારીઓએ ત્રણ વર્ષ અગાઉ સ્થળ નિરીક્ષણ કર્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે કેન્દ્રની મંજૂરી બાદ આ સંબંધિત કામ શરૂ કરી દીધું છે. પ્રવાસન વિભાગ અને જમીન સુધારણા સચિવ, અમદાવાદના જી.એમ. અને ડી.આર.એમ. દ્વારા મુખ્ય સચિવ પંકજકુમાર સાથે પ્રોજેક્ટનો રોડમેપ દર્શાવવા માટે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. ત્યારબાદ 18 જુલાઈ 2022ના રોજ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. અંબાજી રેલવે સ્ટેશન શક્તિપીઠની થીમ પર વિકસાવવામાં આવશે અને પાંચ માળની હોટલના નિર્માણ માટે જમીન ફાળવવામાં આવશે. જેનું કામ પાંચ વર્ષમાં ચાર તબક્કામાં પૂર્ણ થશે.

 આ તમામ વિસ્તારોમાં કામગીરી ચાલી રહી છે

આબુ રોડ બ્લોકના કુઇ, ચંદ્રાવતી, સિયાવા વગેરે વિસ્તારોમાં રેલવે લાઇન નાખવા માટે જમીન સમતળ કરવા, વૃક્ષો કાપવા અને માટી પરીક્ષણ વગેરે જેવી કામગીરી ચાલી રહી છે. જે પૂર્ણ થયા બાદ રેલ્વેના અધિકારીઓ બ્રોડગ્રેજના પાટા નાખવાની કામગીરી શરૂ કરશે.

ટનલની લંબાઈ 2300 મીટર હશે

ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં નિર્માણાધીન રેલવે સ્ટેશન પાસે સૌથી મોટી ટનલ બનાવવામાં આવશે, જે 2300 મીટર લાંબી હશે. આબુ રોડ બ્લોકના સુરાપાગલા ગામ પાસે આ રેલવે લાઇન પર સૌથી ઉંચો પુલ બનાવવામાં આવશે, જેની ઉંચાઈ 80 મીટર હશે.

રૂટ પર 15 સ્ટેશનો બનશે, સૌથી મોટું અંબાજીમાં હશે

આ રેલવે રૂટ પર આબુરોડ સહિત કુલ 15 રેલવે સ્ટેશન હશે. સૌથી મોટું સ્ટેશન ગુજરાતના અંબાજીમાં હશે. જ્યાં છ માળનો પેસેન્જર રેસ્ટ રૂમ બનાવવામાં આવશે. આનાથી શક્તિપીઠ ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમોમાં આવતા લાખો ભક્તોને સુવિધા પણ મળશે. પ્રોજેક્ટ હેઠળ રાજસ્થાનના સિરોહી અને ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાને લાભ મળશે.

સૂચિત રેલવે લાઈન માટે ખર્ચ કેટલો થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ગતિ શક્તિ હેઠળ સમર્પિત માળખાગત સુવિધા દ્વારા દેશના રોડ અને રેલ નેટવર્કને જોડીને ભારતના વિકાસના નવા યુગની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે તારંગા ટેકરી-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનના નિર્માણને મંજૂરી આપી છે. જેથી અંદાજે 116.65 કિલોમીટર લાંબી આ રેલ લાઇન બનાવવા માટે અગાઉ રેલવે મંત્રાલય દ્વારા અંદાજિત રૂ.2798.16 કરોડના ખર્ચનો લક્ષ્યાંક રખાયો છે.

કેટલી નદીઓ, ગામડાઓમાંથી રેલવેલાઈન પસાર થશે ?

તારંગા વાયા અંબાજી થઈ આબુરોડ સુધીની રેલવે લાઈન 6 નદીઓ અને 60 ગામડાઓમાંથી પસાર થશે. આ પ્રોજેક્ટથી ગુજરાતના ત્રણ જિલ્લાના 104 ગામડાઓને લાભ થશે.

ગુજરાતમાં અને રાજસ્થાનમાં કેટલા રેલવે સ્ટેશન બનશે

આ રેલવે લાઈન ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા અને રાજસ્થાનના સિરોહીમાંથી પસાર થશે. વિવિધ સ્થળોએ 15 સ્ટેશન બનાવવામાં આવશે. તેમાં વરેઠા, નવી તારંગા ટેકરી, સતલાસણા, મુમનવાસ, મહુડી, દલપુરા, રૂપપુરા, હડાદ, અમાબા મહુડા, પેટા છાપરા, અંબાજી, પારલી છાપરી, સિયાવા, કુઇ અને આબુ રોડનો સમાવેશ થાય છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon
What would make this website better?

0 / 400