Jamnagar : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઇબ્રાહીમ (સ.અ.વ.) અને હઝરત ઇસ્માઇલ (સ.અ.વ.)ની યાદમાં ઇદ ઉલ અઝહાની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. શહેર જિલ્લામાં વહેલી સવારે મસ્જિદોમાં ઇદની ખાસ નમાઝ અદા કરીને એકબીજાને ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી. જામનગર શહેર ઉપરાંત જોડીયા, ધ્રોલ, જામજોધપુર,લાલપુર, ભાણવડ, સિકકા, સલાયા, ખંભાળિયા, દ્વારકા, ઓખા સહિતના અનેક સ્થળોએ ઇદની ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર શહેરની મુખ્ય ઇદગાહ ખાતે નમાજમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી. જયાં જુમ્મા મસ્જીદના પેશ ઇમામ હાજી સુલેમાન બરકાતી દ્વારા ઇદની નમાજ અને ખુતબો પઢાવ્યો હતો અને
કુરબાનીના આ તહેવાર દરમિયાન ઇન્સાન પોતાની અંદર રહેલી બુરાઇઓની કુરબાની આપે તેમજ દેશમાં અમન-ચમન જળવાઇ રહે તે માટે દુઆ કરવામાં આવી હતી. ઇદ-ઉલ-અઝહાની નમાજ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં જઇને ત્યાં સ્વજનોની કબરને ફૂલ ચઢાવી ફાતિયા પઢીને તેમને યાદ કર્યા હતાં.
[ad_1]
Source link