
Last Updated:
સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં કિર્તીદાન ગઢવીએ મુલાકાત લીધી અને મફત સારવારની પ્રશંસા કરી હતી. આ હોસ્પિટલમાં મહિને આશરે 70 લાખનો ખર્ચ થાય છે.
અમરેલી: સૌરાષ્ટ્રમાં નિ:શુલ્ક સારવાર આપતી આ હોસ્પિટલમાં આજે લોકગાયક કિર્તીદાન ગઢવીએ મુલાકાત લીધી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં સ્થિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર મફત સારવાર પૂરી પાડે છે. કિર્તીદાન ગઢવીએ જણાવ્યું કે આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી. પરમ પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદથી ચાલતી આ હોસ્પિટલમાં સાચે અર્થમાં દર્દી નારાયણની સેવા કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં દર્દીને ભગવાનના સ્વરૂપ તરીકે માનવામાં આવે છે અને તેમની સેવા કરવામાં આવે છે.
કીર્તીદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે મેં કોઈ એવી હોસ્પિટલ નથી જોઈ જ્યાં દર્દી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની એક પણ રૂપિયા લીધા વિના સારવાર કરવામાં આવતી હોય. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રની લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર છે. તેમણે દરેક વોર્ડની મુલાકાત લીધી હતી અને ત્યાંની ચોખ્ખાઈ તેમજ દર્દીઓની સેવા નિહાળી હતી. આ દરમિયાન, હોસ્પિટલનું મેનેજમેન્ટ સંભાળતા ડોક્ટર પંકજભાઈ કટારીયાની પણ ઉપસ્થિતિ રહી હતી. પ્રકાશભાઈએ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર વિશે તમામ માહિતી પુરું પાડી હતી. આ હોસ્પિટલની સેવાઓ જોઈને મને ખૂબ જ અનોખી લાગણી થઈ હતી.

કીર્તીદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં ચાલુ સેવાઓનો લાભ લેવો મળ્યો હતો, જ્યાં તેઓ દર્દીઓ સાથે વાતચીત કરી શક્યા હતા. તેમણે હોસ્પિટલમાં કામ કરતા તમામ કર્મચારી અને ડોક્ટર સાથે પણ મુલાકાત લીધી અને વધુમાં સાથે વાત કરવાની તક મળી હતી. હોસ્પિટલના તમામ કર્મચારીઓએ ખૂબ પ્રેમ આપ્યો છે, જે હોસ્પિટલમાં વારંવાર આવવાનું અને આરોગ્ય મંદિરમાં રોકાવાનું મન થાય તેવું મને લાગ્યું છે.
કિર્તીદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે આ હોસ્પિટલ કોઈપણ જગ્યાએથી દાન માગ્યા વગર ચાલે છે. આ હોસ્પિટલમાં મહિને આશરે 70 લાખનો ખર્ચ થાય છે, પરંતુ અનેક દાતાઓ અને હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા આ મેનેજમેન્ટ કરવામાં આવે છે. સાચા અર્થમાં, આ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરવામાં આવે છે.
[ad_1]
Source link