સુરેન્દ્રનગર,તા.૧૫
પહલગામ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ભારતીય સૈનિકો દ્વારા આપેલા જડબાતોડ જવાબ અને વિરતાના ભાગરૃપે સુરેન્દ્રનગરમાં મેગા મોલથી ટાંકીચોક, પતરાવાળી ચોક સહિતના મુખ્યમાર્ગો પર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. તિરંગા સાથે રાજકીય તેમજ સામાજીક આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓ દરેક જ્ઞાાતિના આગેવાનો, શહેરીજનો તેમજ પૂર્વસૈનિકો તેમજ મુસ્લીમ અને વોરા સમાજના લોકો પણ જોડાયા હતા