વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં રૂ. 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું -PM Modi Inaugurates Projects Worth Rs 5536 Crore in mahatma mandir gandhinagar

0
6

જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાંથી 5,536 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. સવારના લગભગ 11 વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાને મહત્ત્વના પ્રોજેક્ટ્સનું ઈ-ઉદ્ઘાટન તેમજ ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. લોકાર્પણ માટે પસંદ કરાયેલા પ્રોજેક્ટ્સમાં પીએમ આવાસ યોજનાના 22,055 નવનિર્મિત મકાનો, સુરત ખાતે વિકસાવાનાર વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક, હીરાપુર બેરેજ અને અન્ય આધુનિક પગલાંઓ સામેલ હતા. આ તમામ યોજનાઓ શહેરોની સુવિધાઓમાં સુધારો લાવવાને હેતુ ધરાવે છે અને સામાન્ય જનતાને સીધી અસર પહોંચાડશે.

મોદીએ કહ્યું કે, પાકિસ્તાને ભારત સામેના ત્રણ યુદ્ધોમાં હાર સ્વીકારી, પછી એક પ્રોક્સી યુદ્ધ શરૂ કર્યું, જેમાં તાલીમ પામેલા આતંકવાદીઓ નિર્દોષ લોકોને નિશાન બનાવે છે. હવે ગોળીઓનો જવાબ ગોળાથી અને ઇંટોનો જવાબ પથ્થરથી આપવાનો સમય છે. તેમણે 6 મેની ઘટનાનો ઉલ્લેખ કર્યો, જ્યારે 22 મિનિટમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ બધું કેમેરાની સામે થયું, અને પાકિસ્તાનમાં આતંકવાદીઓના અંતિમ સંસ્કારને રાજ્ય સન્માન આપવામાં આવ્યું, જે સાબિત કરે છે કે, આ કોઈ પ્રોક્સી યુદ્ધ નથી, પરંતુ યુદ્ધ છે.

‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવના પર ભાર મૂકતા, પીએમએ કહ્યું કે, ભારત તેના પડોશીઓની શાંતિ અને ખુશી ઇચ્છે છે, પરંતુ સત્તાના પડકારને સહન કરશે નહીં. તેમણે 1960ના સિંધુ જળ સંધિનો ઉલ્લેખ કર્યો, જે જમ્મુ અને કાશ્મીરની નદીઓની સફાઈ પર પણ પ્રતિબંધ મૂકે છે, જેના કારણે દેશવાસીઓને પાણીનો તેમનો હકદાર હિસ્સો મળ્યો ન હતો. મોદીએ નવી પેઢીને દેશની પ્રગતિ અને આત્મનિર્ભરતા માટે આગળ આવવા અપીલ કરી હતી. ભારત શાંતિ અને વિશ્વ કલ્યાણ ઇચ્છે છે, પરંતુ આતંકવાદનો જવાબ તેની જ ભાષામાં આપશે.

જ્યારે ખાતમુહૂર્તના ભાગરૂપે વડાપ્રધાને અનેક મહત્વાકાંક્ષી યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમાં સાબરમતી રિવરફ્રન્ટનો ત્રીજો તબક્કો, થરાદ-ધાનેરા પાઇપલાઇન, દિયોદર-લાખાણી પાઇપલાઇન જેવા પાણીના પ્રમાણભૂત વિતરણ માટેના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. તે ઉપરાંત બોટાદ, ખેડા, મહેમદાવાદ, ધંધૂકા અને નિડયાદ જેવા શહેરોમાં અમૃત 2.0 અંતર્ગત શહેરી વિકાસના નવો પ્રોજેક્ટ શરુ કરાશે. આરોગ્યસેહિતાના ક્ષેત્રમાં પણ મોટી નવીનતા રજૂ થઈ છે, જેમાં અસારવા સિવિલ કેમ્પસમાં જૂના કોમ્પ્લેક્સને તોડી તેના સ્થાને 11 માળની 1800 બેડની નવી મેડિસિટી હોસ્પિટલ અને 500 બેડની ચેપીરોગ હોસ્પિટલની શરૂઆત થશે.

વડાપ્રધાન મોદીએ ગુજરાતમાંથી પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો અને કહ્યું કે અમે આ કાંટો દૂર કરીશું. તેમણે કહ્યું કે, ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ. પીએમએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો હતો. જનતાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “હું બે દિવસથી ગુજરાતમાં છું. ગઈકાલે હું વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ ગયો અને આજે ગાંધીનગર આવ્યો છું. હું જ્યાં પણ ગયો, ત્યાં મને દેશભક્તિની લહેર, માતૃભૂમિ પ્રત્યે અપાર પ્રેમની લહેર અનુભવાઈ અને આ ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતના દરેક ખૂણામાં છે. તે દરેક ભારતીયના હૃદયમાં છે. શરીર ગમે તેટલું સ્વસ્થ હોય, જો કાંટો ચોંટે તો આખું શરીર દુખે છે. અમે નક્કી કર્યું છે કે અમે તે કાંટો કાઢી નાખીશું.”

કાર્યક્રમમાં રજૂ કરાયેલી ખાસ 7 મિનિટની ડોક્યુમેન્ટરી દ્વારા વર્ષ 2005થી 2025 સુધી ગુજરાતના શહેરી વિકાસની સફળ યાત્રાનું દૃશ્યમાધ્યમથી વિહંગાવલોકન કરાવાયું હતું. આ ફિલ્મે દર્શાવ્યું કે કેવી રીતે છેલ્લા બે દાયકામાં ગુજરાતના શહેરોએ આધુનિકીકરણ અને મોલ્ટી-સેક્ટરલ ડેવલપમેન્ટમાં મોટો પડકાર જીતી લીધા છે. આ પ્રસંગે વડાપ્રધાન દ્વારા ક્લીન એર પ્રોગ્રામની નવી પહેલનો પણ આરંભ કરાયો અને દેશના 17 મહાનગરો માટે નવા વિકાસ પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર , સી આર પાટીલ સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને તમામ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન દ્વારા આજે જે પ્રોજેક્ટ્સનો શુભારંભ થયો છે, તેનાથી રાજ્યના શહેરી જીવનમાં મોટી પોઝિટિવ અસર જોવા મળશે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here