વડતાલના આચાર્ય મહારાજના હસ્તે 47 પાર્ષદોએ સંત દીક્ષા ગ્રહણ

HomeKhedaવડતાલના આચાર્ય મહારાજના હસ્તે 47 પાર્ષદોએ સંત દીક્ષા ગ્રહણ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

વડતાલ: સંતો ત્યાગાશ્રમની દીક્ષા લીધી અને એ સાથે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી દ્વારા દીક્ષિત સંતોની સંખ્યા 900ને પાર થઇ ગઈ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચતીર્થ સ્થાન વડતાલની પુણ્યભૂમિ પર વિક્રમ સંવત 2081, તારીખ 12/11/2024 અને મંગળવારના શુભ દિને યોગાનુયોગ વડતાલ ખાતે ઉજવાય રહેલા લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પ્રબોધની એકાદશીના પવિત્ર મુહૂર્તમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે 47 પાર્ષદોએ દીક્ષા લીધી હતી. મહત્ત્વનું છે કે, ગોપાળાનંદ સ્વામીના આસને ભાગવતી દિક્ષાવિધિવત સંપન્ન થઈ હતી.

ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ 200મો કાર્તકી સમૈયો અને વડતાલ દ્રિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. 7થી 15 નવેમ્બર 2024 સુધી ચાલનારા આ મહોત્સવમાં આજ રોજ પ્રબોધિની એકાદશીના પવિત્ર દિવસે વડતાલગાદીના વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે 47 મુમુક્ષુઓએ દિક્ષા ગ્રહણ કરીને સંપૂર્ણ જીવન સેવા-સાધના માટે શ્રીહરિકૃષ્ણ મહારાજને સમર્પિત કર્યુ છે. જેમાં ઉચ્ચ અભ્યાસ કરનારા સહિત પ્રિન્સિપાલે હરિકૃષ્ણ મહારજની સેવામાં તેમનું જીવન સમર્પિત કર્યું છે.

News18

સંપ્રદાયમાં આ પાર્ષદ-સંતો ઉચ્ચ ડિગ્રી ધરાવે છે.

– પાર્ષદ નિશિત ભગત (B.Tech. EC) સાધુ યતિપ્રકાશદાસ.
– પાર્ષદ નારાયણ ભગત (B.Sc. B.Ed. Principal) સાધુ ધરચરણદાસ.
– પાર્ષદ પ્રિયાંશુ ભગત (Soft. Eng.) સાધુ પરમચૈતન્યદાસ.
– પાર્ષદ શ્રેય ભગત (BCA) સાધુ શ્રેયસ્વરૂપદાસ.
– પાર્ષદ ધ્રુવ ભગત (B.Com) સાધુ મૂર્તિજીવનદાસ.
– પાર્ષદ પ્રિયંક ભગત (B.Com) હવે સાધુ પ્રબોધજીવનદાસ.
પાર્ષદ હિતાર્થ ભગત (BBA) સાધુ હરિદેવચરણદાસ.
– પાર્ષદ જેનીશ ભગત (12 Sci.) સાધુ જયતીર્થદાસ.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon