ભાવેશ વાઘેલા, ઉંમર 34, ગ્રેજ્યુએટ, જણાવ્યું કે, “હું અમરેલી શહેરમાં રહું છું. ચિત્તલ રોડ અને લાઠી રોડ વિસ્તારમાં હજુ પણ ઘણા જૂના મકાનો છે અને આ મકાનો આજ સુધી અડીખમ છે. વર્ષો પહેલા લોકો બે માળના મકાન બનાવતા હતા, જેના માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો અને બે માળની મેડી લાકડામાંથી બનાવવામાં આવતી. આ મેડીઓ બનાવવા માટે તે સમયના વિશેષ કારીગરો હતા. હાલ આ મેડીઓ લુપ્ત થઈ રહી છે.”