નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ વધી ગયો છે, શું હવે યુદ્ધ થવાનું નક્કી છે, શું તેનાથી શેરબજારમાં હજુ આવશે ઘટાડો? કરોડો ભારતીય અને લાખો રોકાણકારોના મનમાં આ સવાલ ચાલી રહ્યા છે અને તેનો જવાબ શેરબજારના એક દિગ્ગજ રોકાણકારે આપ્યો છે. હેલિઓસ કેપિટલના સંસ્થાપક સમીર અરોડાએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે મોટાપાયે યુદ્ધની શક્યતા બહુ જ ઓછી છે અને તે માત્ર 1 ટકા છે. તેમણે કહ્યું કે, યુદ્ધ જેવી ઘટનાઓનો અંદાજ ન લગાવી શકાય. તેમણે જણાવ્યું કે, ભારત-પાકિસ્તાન તણાવની વચ્ચે ભારતની થીમ મજબૂત છે. સમીર અરોડાએ કહ્યું કે, તમારે તે વિશ્વાસ કરવો પડશે કે, સ્થિતિ જલદી નિયંત્રણમાં હશે.
Home Stock Market યુદ્ધની વચ્ચે ડરી ગયેલા રોકાણકારોને સલાહ, સમીર અરોડાએ કહ્યું- ભારતના શેરબજારમાં આટલી...