Last Updated:
“મેદસ્વિતા મુક્ત ગુજરાત” અમદાવાદ સિવિલ હોસ્પિટલની O.P.D. શરૂ; નિઃશુલ્ક મળી જશે ડાયટ પ્લાન
અમદાવાદ: લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે અને જંક ફૂડ વધારે ખાઈ રહ્યા છે જેના કારણે મેદસ્વિતા પણ વધી રહી છે. વેટ લોસ અને ફેટ લોસ કરવા માટે લોકો મહેનત કરતા હોય છે, રૂપિયા ખર્ચીને જિમ અને ડાઈટ પ્લાન લેતા હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં Dietician OPD શરૂ કરવામાં આવી.
દેશમાંથી મેદસ્વિતા ઘટાડવાના સંકલ્પને સાર્થક કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સમગ્ર રાજ્યમાં આદરેલા “મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં “Dietician OPD” (રૂમ નં. G-025) શરૂ કરવામાં આવી છે. જે દરરોજ સવારે 9:00થી 1:00 અને બપોરે 2:00થી 5:00 સુધી કાર્યરત રહેશે.
આ OPDમાં મેદસ્વિતા ઘટાડવાના આશય સાથે, NCD ધરાવતા દર્દીઓ, કુપોષિત બાળક તથા ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને નિષ્ણાત ડાયેટીશિયન દ્વારા યોગ્ય આહારની માર્ગદર્શિકા, પોષણ કાઉન્સેલિંગ અને વ્યક્તિગત ડાયટ પ્લાન આપવામાં આવશે. BMI (Body Mass Index) ઘટાડવા સંદર્ભે પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

દર્દીઓને તેમના આરોગ્યને સુધારવામાં, ઊર્જા વધારવામાં અને સમતુલિત જીવનશૈલી તરફ માર્ગદર્શન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને બધા જ માટે ખુલ્લી છે.
વધુ માહિતી માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ 1200 બેડ હોસ્પિટલના રૂમ નં. G-025 ની મુલાકાત લેવાની રહેશે.
સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય Non-Communicable Diseases (NCDs) જેવી કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ અને સ્થૂળતા સામે જાગૃતિ અને યોગ્ય પોષણ માર્ગદર્શન માટે “મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન અમલમાં છે.
આ અભિયાનને વધુ સાર્થક બનાવવાના ઉમદા હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી છે.
Ahmedabad,Gujarat
May 13, 2025 11:04 AM IST