ચિરાગભાઈએ વધુમાં જણાવ્યું કે વર્ષો પહેલા પોતાના ગ્રામીણ વિસ્તારોમાં ઢીંચણીયાનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે હવે લુપ્ત થઈ રહ્યું છે. અમરેલી જિલ્લાના મેવાસા, સેજલ, પિયાવા, વંડા, શેલાણા, ઠવી અને પોકરવા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં અમુક ઘરોની અંદર ઢીંચણીયું હજુ પણ જોવા મળે છે. ઢીંચણીયાનો શબ્દ હાલના યુવાઓને સાંભળતા, તેઓ સામે પ્રશ્નાર્થ કરે છે કે આ શું છે. ઢીંચણીયું લાકડામાંથી બનાવવામાં આવે છે.