Last Updated:
ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલી પરિસ્થિતીની અસર આજે ગુજરાતના જામનમગરમાં જોવા મળી છે. જામનગરમાં આજે સાયરનો વાગ્યા અને લોકોને સુરક્ષિત સ્થળે રહેવા જણાવામાં આવ્યું. સાથેજ કલેક્ટરે આજનો દિવસ વેપાર ધંધો બંધ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
જામનગર: ભારત-પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિની અસર આજે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જેમાં જામનગરમાં આજે સાયરન વાગ્યા છે. સાથે જ જામનગરના કલેક્ટર દ્વારા જિલ્લામાં લોકોને અપીલ કરવામાં આવી છે. જેમાં નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત આજનો દિવસ વેપાર અને ધંધાને બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. સમગ્ર મામલે જિલ્લા તંત્ર તમામ પડકારોને પહોંચી વળવા માટે સક્ષમ છે. આ ઉપરાંત કલેક્ટર દ્વારા પણ નાગરિકોને જાહેર સ્થળોએ ન ફરવા અને સુરક્ષિત સ્થળે આશ્રય લેવા માટે સલાહ આપવામાં આવી છે.
ઉપરાંત જામનગર શહેર અને તેમજ જિલ્લામાં બ્લેકઆઉટનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા આજે રાતે 8થી સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે. કલેક્ટર દ્વારા લોકોને વીજ ઉપકરણો સંપૂર્ણપણ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે અને પ્રકાશ ફેલાવતા ઉપકરણોનો ઉપ.યોગ ન કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.
જામનગર જિલ્લામાં આજે રાત્રે ૮:૦૦ કલાકથી આવતીકાલ સવારે ૬:૦૦ વાગ્યા સુધીના સમય દરમિયાન બ્લેકઆઉટ જાહેર કરતા કલેક્ટરશ્રી કેતન ઠક્કર@CMOGuj @InfoGujarat @CollectorJamngr @SP_Jamnagar pic.twitter.com/dItDy4WuiO
— Info Jamnagar GoG (@infojamnagargog) May 10, 2025
આ સિવાય આજે કચ્છમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ સતત સાયરન વગાડવામાં આવી રહ્યા છે. લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ બેથી ત્રણ વખત સાયરન પણ વગાડવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે, ઘરની બહાર ન નીકળે અને સલામત સ્થળે રહે. જોકે, હાલ કઈ ગતિવિધિના કારણે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે, ભૂજમાં ઈમરજન્સી સિવાય તમામ વેપાર ધંધા બંધ છે. કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. તમામ વેપાર ધંધા બંધ રાખવાનો આદેશ કરાયો છે. કચ્છ કલેક્ટર દ્વારા તમામ જનતાને આદેશ આપવામાં આવ્યો છે. ભુજ શહેરમાં તમામ વેપાર ધંધા બંધ છે. લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરાઈ છે.
Jamnagar,Gujarat