Last Updated:
જામનગરમાં લાલપુર તાલુકાના નવાણિયા ખાતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અંનત અંબાણીના જન્મ દિવસ નિમત્તે નવી ગૌશાળાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જેથી અહિંયાના પશુપાલકોમાં હાલ આનંદનો માહોલ છે.
જામનગર: રિલાયન્સ ગ્રુપ દ્વારા નિર્માણ પામનાર નવાણિયા ગૌશાળાનો આજે શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. અનંત અંબાણીના જન્મદિવસે પશુપાલકોને ખાસ ભેટ મળી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાણિયા ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે નવી ગૌશાળાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે નવાણિયાને આ સુવિધા ઉપલબ્ધ થશે.
ફળદ્રુપ જમીન ધરાવતા નવાણિયા ગામના ખેડૂતો માટે વિવિધ પ્રકારના પાકની ખેતી ઉપરાંત પશુપાલન આજીવિકાનો મુખ્ય આધાર છે. અહીંના ગ્રામજનો પેઢી દર પેઢીઓથી ખેતી અને પશુપાલન કરે છે. જેથી અહીંયા ગૌશાળાનો શિલાન્યાસ કર્યા બાદ પશુપાલકોને મોટો ફાયદો થશે.
ગ્રામ પંચાયત અને પશુપાલકોની વિનંતીના આધારે રિલાયન્સ દ્વારા નવાણિયા ખાતે 5800 ચોરસ ફૂટના બિલ્ટ-અપ વિસ્તાર સાથે નવી ગૌશાળાનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં 60 થી વધુ ગાયોને આશ્રય આપશે. શિલાન્યાસ સમારોહમાં શાસ્ત્રી રાજેશ રાજ્યગુરુ, રિલાયન્સના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાંધકામ પૂર્ણ થયા બાદ આ ગૌશાળા ગ્રામ પંચાયત અને ગ્રામજનોને સોંપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે લાલપુર તાલુકાના નવાણિયામાં આ ગૌશાળાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જેમાં આ ગૌશાળામાં 60 કરતા વધારે ગાયોને આશ્રય આપવામાં આવશે. અહીંયા ગામના લોકો પેઢી દર પેઢીથી પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. જેથી અહીંયા ગૌશાળાનો શિલાન્યાસ થયા બાદ પશુપાલકોને મોટો ફાયદો થશે.
April 09, 2025 5:53 PM IST