ગ્રામીણ શાળાઓમાં પ્રવેશોત્સવને આચારસંહિતાની અસર, સરકારના કાર્યક્રમમાં ફેરફાર થવાની શક્યતા-Government likely to change school entrance festival program due to code of conduct

0
8

Last Updated:

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી 22 જૂને યોજાવાની છે. જેથી આચારસંહિતા લાગુ પડશે તો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને અસર થઈ શકે છે. પરિણામે એવી શક્યતા છે કે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

શાલા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ફેરફારની શક્યતા શાલા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ફેરફારની શક્યતા
શાલા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ફેરફારની શક્યતા

ગાંધીનગર: રાજ્યમાં જાહેર થયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીને પગલે હવે રાજ્ય સરકારના પ્રખ્યાત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમોની આયોજન પ્રક્રિયા પ્રશ્નાર્થ હેઠળ આવી છે. 8,326 જેટલી ગ્રામ પંચાયતો માટે ચૂંટણીની જાહેરાત સાથે જ આજથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. એવામાં આગામી 18 જૂનથી શરૂ થનારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને આચારસંહિતાના દાયરામાં લાવવો પડશે, જેના પગલે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના કાર્યક્રમો મોકૂફ રાખવાની શક્યતા છે.

હવે મહત્વનો મુદ્દો એ છે કે શાળા પ્રવેશોત્સવનો મોટો ભાગ ગામોમાં યોજાય છે, જ્યાં રાજ્ય સરકારના અધિકારીઓ, ધારાસભ્યો, મંત્રીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓ બાળકોએ શાળામાં પ્રવેશ લેતા સમયે શાળાઓની મુલાકાત લઈ હસ્તાક્ષર કાર્યક્રમો, કાર્યક્રમ સંચાલન અને મોટી જાહેરાતો કરાય છે.

પરંતુ ચૂંટણી પંચની આચારસંહિતા હેઠળ આ પ્રકારના સરકારના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ આવે છે, કારણ કે તે મતદારોને પ્રભાવિત કરી શકે છે. તેવામાં સરકાર માટે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી ગ્રામીણ વિસ્તારોમાં કાર્યક્રમ મોકૂફ રાખવાનો એકમાત્ર વિકલ્પ બચી શકે છે.

જોકે હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવ કે કન્યા કેળવણી કાર્યક્રમમાં ફેરફાર અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરાઈ નથી. છતાં રાજ્યના શિક્ષણ વિભાગ અને જિલ્લા તંત્રોને પણ આ મામલે સ્પષ્ટતા આપવી પડી શકે એવી શક્યતા છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણી 22 જૂને યોજાનાર છે. એટલે કે શાળા પ્રવેશોત્સવના મથાળાના દિવસો અને ચૂંટણીની પ્રક્રિયા લગભગ સાથે ચાલશે. આ સ્થિતિમાં અધિકારીઓ અને વિધાયક કે મંત્રીઓને ગામોમાં જવાની મંજૂરી નહીં હોય. તેમજ નવી જાહેરાતો અથવા વિતરણ કાર્યક્રમો પણ આચારસંહિતાની અવરોધમાં આવી શકે છે.

સાંકેતિક રીતે જુદું આયોજન કે તબક્કાવાર અમલ શક્ય

વિશ્લેષકો માને છે કે સરકાર શાળા પ્રવેશોત્સવને તબક્કાવાર રીતે શહેર અને ગ્રામ્ય વિસ્તારો માટે જુદા જુદા દિવસે યોજી શકે છે અથવા ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણી બાદ તેનો અમલ શક્ય બની શકે છે. હાલની સ્થિતિમાં રાજ્ય સરકાર આગામી દિવસોમાં જાહેર નિવેદન આપવાની શક્યતા છે કે જેમાં કાર્યક્રમને આચારસંહિતાથી મુક્ત રાખવા અંગે ચૂંટણી પંચ પાસેથી માર્ગદર્શન લેવાશે કે નહીં, તે સ્પષ્ટ કરાશે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here