Last Updated:
નર્મદાના રાજપીપળામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીંયા રાતના સમયે 32 દિવસની બાળકીને જાનવર ઉઠાવીને લઈ ગયું. પોલીસે જ્યારે આ મામલે સવારે તપાસ હાથ ધરી તો બાળકીના લોહીથી ખરડાયેલા કપડાં અને શરીરના અંગો મળી આવ્યા હતા. જેથી આ સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
નર્મદા: જિલ્લાના રાજપીપળા ખાતે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેના વિશે જાણીને તમે પણ નવાઈ પામી જશો. અહીંયા એક 32 દિવસની નવજાત બાળકનું મોત થયું છે. જેમાં બાળકીને રાતના સમયે કોઈ જાનવર ઉઠાવી ગયું અને તેને ફાડી ખાધી. જેથી બાળકીના પરિવાર પર હાલ જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ આ મામલે પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને જેવી આ બનાવની જાણ થઈ કે તેમણે બાળકીની તપાસ હાથ ધરી હતી.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, રાજપીપળા ખાતે વ્યાયામ પ્રચારક મંડળના ગેટ સામે એક ખુલ્લી જમીન પર બાંધકામની સાઇડ પર કામ કરતા દાહોદના શ્રમિકની 32 દિવસની નવજાત શિશુને કોઈ અજાણ્યું જનાવર ખેંચીને જતા FSL ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. બનાવની વિગત મુજબ દાહોદનું એક પરિવાર એક સાઈડ પર બાંધકામનું કામ કરવા આવેલ જે રાત્રે ખુલ્લામાં સૂઈ રહ્યા હતા.
પરિવાર જ્યારે સૂતો હતો ત્યારે કોઈ જાનવર આવી આ બાળકીને ઉઠાવી ગયું અને સવારે પરિવારે રાત્રે ગુમ દીકરીની શોધખોળ કરી ના મળતા પોલીસને જાણ કરી હતી. પોલીસ અને FSL ની ટીમે શોધખોળ કરાવતા બાળકીના શરીરના અંગો લોહીથી ખરડાયેલા કપડાં મળી આવ્યા. જોકે જે જગ્યાએથી જાનવર ખેંચી ગયું હતું ત્યાંથી ઝાડીઓમાં લઈ જતા લોહીના ટીપાં પડ્યા હતાં જેના પરથી FSLની ટીમે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ બનાવને લઈને હાલ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બાળકીને જાનવર ક્યાં લઈને ગયું તેના વિશે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે તેના શરીરના અંગો અને અને લોહીથી ખરડાયેલા કપડાં મળી આવ્યા છે. જેથી એવી પૂરી શક્યતા છે કે બાળકીનું મોત થઈ ગયું હોય. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે પોલીસની તપાસમાં આ કેસમાં નવા શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું.
Narmada,Gujarat