કપાસ કાઢી લીધા પછી આટલું કરવું – Farming Tips control of Pink caterpillar after cotton harvest

0
10

Last Updated:

કપાસના પાકમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. કપાસના પાક લઈ લીધા પછી કેટલાક પગલાં ભરવામાં આવે તો ગુલાબી ઇયળનું નિયંત્રણ થઈ શકે છે. ખેતીવાડી અધિકારીએ કેટલાક સૂચનો કર્યા છે.

ગુલાબી ઇયળનુ આગોતરુ નિયંત્રણગુલાબી ઇયળનુ આગોતરુ નિયંત્રણ
ગુલાબી ઇયળનુ આગોતરુ નિયંત્રણ

અમરેલી: ખેતી પાકમાં ઇયળનો ઉપદ્રવ રહે છે. ખાસ કરીને કપાસના પાકમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધારે રહે છે. ગુલાબી ઇયળનું આગોતરું નિયંત્રણ કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય છે. આગામી સિઝનમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ ઘટી શકે છે. ખેતીવાડી અધિકારી ભાવેશભાઈ પીપળીયાએ જણાવ્યું કે, ખેતીલક્ષી મુખ્ય પાક તરીકે કપાસનું વાવેતર થાય છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી કપાસના પાકમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. જેને હિસાબે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ગુલાબી ઇયળના ઉપદ્રવથી પાકને બચાવવા માટે ખેડૂતોએ યોગ્ય પગલાં લેવા ખૂબ જરૂરી છે. ખેડૂતોને આગામી સિઝનમાં ફાયદો થશે. ગુલાબી ઇયળનો ઉપદ્રવ ઘટતાં ઉત્પાદનમાં વધારો થશે. ખેડૂતોને નીચેના પગલાં લેવા જોઈએ.

1. કપાસના પાકને છેલ્લું પિયત આપવાનું બંધ કરો અને પાકનો અંત લાવો જોઈએ.

2. ખેતરમાં ખરી પડેલા ફૂલ, કળી અને જીંડવાને ભેગા કરીને સેન્દ્રિય ખાતર બનાવવા માટે ઉપયોગ કરવો જોઈએ.

3. કપાસની છેલ્લી વીણી પૂર્ણ થયા બાદ, ખેતરમાં ઘેટાં, બકરાં અને ઢોર ચરાવવા દેવા જોઈએ.

4. સંગ્રહ કરેલા કપાસમાં જો ગુલાબી ઇયળ કે તેના ફુદા જોવા મળે તો તાત્કાલિક ફેરોમોન ટ્રેપ લગાવવા અને તેમાં ફસાયેલા ફુદાનો નાશ કરવો જોઈએ.

Farming Tips control of Pink caterpillar after cotton harvest

જીનર્સ મિત્રોએ નીચે મુજબના પગલાં લેવા

1. આગામી વર્ષ માટે કપાસનું જીનીંગ કાર્ય બીજા વર્ષે કપાસનું વાવેતર શરૂ કરતા પહેલા પૂર્ણ કરવું જોઈએ.

2. જીનીંગ દરમિયાન નીકળતા કચરાનો ઉપયોગ સેન્દ્રિય ખાતર બનાવવા માટે કરવો જોઈએ.

3. જીનિંગ ફેક્ટરીમાં અને તેની આસપાસ ફેરોમોન ટ્રેપ ગોઠવીને તેમાં ફસાયેલા ફુદાઓનો નાશ કરવો જોઈએ.

4. ફેક્ટરીના કમ્પાઉન્ડમાં ઉગી નીકળતા કપાસના છોડને નિયમિતપણે દૂર કરવા જોઈએ.

આ પણ વાંચો: ઉનાળુ ચોળીના પાકમાં જીવાતનો હુમલો, કૃષિ નિષ્ણાતે ખેડૂતોને આપી ટિપ્સ

ગુલાબી ઇયળના ઉપદ્રવને કાબુમાં લેવા માટે ખેડૂતો અને જીનર્સ ભાઈઓને અપીલ કરવામાં આવે છે કે જીનીંગ દરમિયાન નુકસાન પામેલા કપાસિયા એક જગ્યાએ ખાડો કરી દાટી દેવામાં આવે તો નિયંત્રણ કરી શકાય છે. આ ઉપરાંત, જીનીંગ ફેક્ટરીના મુખ્ય દરવાજા પર ગુલાબી ઇયળને કાબુમાં લેવા માટે જરૂરી મુદ્દા ધરાવતું બોર્ડ પણ લગાવવું જોઈએ. આ પગલાં લેવાથી આવતા વર્ષે કપાસના પાકમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ ઘટાડી શકાશે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here