આતંકવાદ અને પાકિસ્તાન પર ગરજ્યાં અમિત શાહ

0
2

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર મહાનગરપાલિકા, GUDA અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા બાદ કોલવડા ખાતે તેમની સભામાં યોજાઈ હતી. ઓપરેશન સિંદૂર બાદ યોજાયેલી અમિત શાહની પહેલી સભામાં તેઓએ સૌથી પહેલા તો ઓપરેશન સિંદૂરમાં બહાદૂરી માટે ભારતીય સેનાના વખાણ કર્યા અને જવાનોને સલામ કરી. જે બાદ તેઓએ પાકિસ્તાનને આડેહાથે લીધું અને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, પીએમ મોદીએ ભારતને વિકસિત બનાવવામાં કોઈ કસર છોડી નથી. પીએમ મોદીએ દેશને સુરક્ષિત રાખવાનું કામ કર્યું છે. 2014 પહેલા, લગભગ દરરોજ આતંકવાદી હુમલા થતા હતા. પહેલા આતંકવાદીઓ આવતા હતા અને હુમલો કરીને મારીને ભાગી જતા હતા, ઘણા કાવતરા થતા હતા, પણ કોઈ જવાબ આપવામાં આવતો નહોતો. પણ હવે એવું નથી. ઓપરેશન સિંદૂર અંગે અમિત શાહે કહ્યું કે, સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો. સેનાના કારણે આપણું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે. જુઓ અમિત શાહે બીજું શું કહ્યું…

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here