આજથી ભાવનગર-બાંદ્રા ટ્રેન વલસાડ સ્ટેશન પર ઉભી રહેશે | From today Bhavnagar Bandra train will stop at Valsad station

0
6

– મુસાફરોની માંગણીને ધ્યાને લઈ પશ્ચિમ રેલવેનો નિર્ણય

– બન્ને દિશાની સ્પેશિયલ ટ્રેનને વલસાડ રેલવે સ્ટેશન પર બે-બે મિનિટનો હોલ્ટ અપાયો

ભાવનગર : ભાવનગર-બાંદ્રા-ભાવનગર ટર્મિનસની વિશેષ ટ્રેનને આવતીકાલથી વલસાડ રેલવે સ્ટેશન પર વધારાનો હોલ્ટ આપવાનો રેલવે પ્રશાસને નિર્ણય લીધો છે.

યાત્રિકોની સુવિધા અને માંગણીને ધ્યાને રાખી પશ્ચિમ રેલવે દ્વારા આવતીકાલ તા.૮-૫થી ભાવનગર ટર્મિનસથી ઉપડતી બાંદ્રા ટ્રેન વિશેષ અને તા.૯-૫થી બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશિયલ ટ્રેનને વલસાડ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. ભાવનગર-બાંદ્રા ટ્રેન વલસાડ સ્ટેશન પર રાત્રે ૨-૧૪ કલાકે પહોંચી ૨-૧૬ કલાકે અને બાંદ્રા-ભાવનગર ટ્રેન બપોરે ૧૨-૫૨ કલાકે પહોંચી ૧૨-૫૪ કલાકે વલસાડ સ્ટેશનથી ઉપડશે તેમ ભાવનગર રેલવેના સૂત્રોએ જણાવ્યું છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here