અમદાવાદ: પત્ની HIV પોઝિટિવ થતા પતિએ તમામ હદો વટાવી નાખી, શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં હચમચાવનારો કિસ્સો-husband beat his wife and threw her out of the house In Chandlodia Ahmedabad

0
7

Last Updated:

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં એક પરિણીતા HIV પોઝિટિવ આવતા તેના પતિએ તેને માર મારીને કાઢી મૂકી હોવાનું સામે આવ્યું છે. સાથે જ પતિએ પત્ની પર એટલી હદે અત્યાચાર ગુજાર્યો કે કંટાળીને પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો
અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો

અમદાવાદ: શહેરમાં રહેતી પરિણીતાને સાસરિયાઓએ ત્રાસ આપીને કાઢી મૂકતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરિણીતાને પહેલી વાર મિસકેરેજ થતા સાસરિયાઓએ ડોક્ટરના કહેવા છતાંય આરામ ન કરવા દઈને ત્રાસ આપ્યો હતો. જ્યારે પરિણીતાને બીજી વાર પ્રેગ્નન્સી રહી ત્યારે ચેકઅપ દરમિયાન HIV પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. પતિએ આ બાબતને લઈને તેની પર શંકાઓ રાખીને માર મારીને કાઢી મૂકી હતી. તબીબી તપાસ દરમિયાન પરિણીતાને ગર્ભમાં ત્રણ બાળકો હતા અને એક બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે પરિણીતાએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો ત્યારે પણ પતિ સહિતના લોકોએ તેને ત્રાસ આપીને પરત લઈ ગયા નહોતા. જેથી આ મામલે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન વર્ષ 2020માં સુરેન્દ્રનગર ખાતે રહેતા યુવક સાથે થયા હતા. પતિ અમદાવાદમાં નોકરી કરતો હોવાથી લગ્નના એક અઠવાડિયા બાદ તે થલતેજ ખાતે પી.જી.માં રહેવા લાગ્યો હતો અને શનિ-રવિની રજામાં વતનમાં જતો હતો. ત્યારે સાસરિયાની ચઢામણીમાં આવીને તેની પત્ની સાથે બોલાચાલી, ઝઘડો કરતો હતો.

પરિણીતાનો દિયર પણ જમવાની બાબતમાં પરિણીતા સાથે બોલાચાલી, ઝઘડો કરીને ત્રાસ આપતો હતો. આમ વારંવાર નાની-નાની બાબતોમાં ઝઘડા થવાના કારણે પરિણીતાને તેના પતિએ ઘરની બહાર કાઢી મૂકી હતી. જ્યારે પરિણીતા પ્રથમ વખત ગર્ભવતી થતા તેને મિસકેરેજ, ડોક્ટરે ફરજિયાત આરામ કરવાનું કહ્યું હતું. છતાંય સાસરિયાઓ તેને આરામ ન કરવા દઈને ત્રાસ આપતા હતા. જ્યારે પરિણીતાને બીજી વાર ગર્ભ રહ્યો ત્યારે ચેકઅપ દરમિયાન HIV પોઝિટિવ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પત્ની HIV પોઝિટિવ આવ્યા બાદ પતિએ શંકાઓ રાખીને ગાળાગાળી કરીને તેને માર માર્યો હતો. બાદમાં ગર્ભમાં ત્રણ બાળકો હોવાનું ડોક્ટરે કહેતા પતિએ છૂટાછેડા આપવાનું કહીને ત્રાસ આપ્યો હતો. ડોક્ટરની તપાસ દરમિયાન એક બાળકનું ગર્ભમાં મોત થતા તાત્કાલિક ઓપરેશન કરતા જોડિયા બાળકોનો જન્મ થયો હતો. જે બાદ સાસરિયાઓ પરિણીતાને તેડી ન જતા આ મામલે સોલા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here