Railway: 11 મેએ ભાવનગરથી ઉપડતી ભાવનગર-ઉધમપુર ટ્રેન સંપૂર્ણપણે રદ કરાઈ

0
3

પશ્ચિમ રેલ્વેના ભાવનગર મંડળથી ચાલતી ભાવનગર ટર્મિનસ-શહીદ કેપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ(ઉધમપુર) ટ્રેન રદ કરવામાં આવી છે. આ અંગે ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર 11-05-2025 (રવિવાર)ના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ઉપડતી ટ્રેન નંબર 19107 ભાવનગર ટર્મિનસ-શહિદ કેપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

મુસાફરો રેલવે વિભાગની વેબસાઈટ પર સમય ચેક કરી શકે છે

12-05-2025 (સોમવાર)ના શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશનથી ઉપડતી ટ્રેન નં. 19108 શહીદ કેપ્ટન તુષાર મહાજન-ભાવનગર ટર્મિનસ જન્મભૂમિ એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો રેલવે વિભાગની વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ ટ્રેનનું રીશિડ્યૂલ કરાશે

ભારતીય રેલ્વેએ જમ્મુ અને પંજાબના સરહદી વિસ્તારોમાં રાત્રે ટ્રેનો ન ચલાવવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાત્રે અમૃતસર, ભટિંડા, ફિરોઝપુર, જમ્મુ જેવા સ્થળોએથી પસાર થતી ટ્રેનોનું સમયપત્રક હવે ફરીથી ગોઠવવામાં આવશે. રેલ્વેના જણાવ્યા અનુસાર, આ સ્થળોએથી પસાર થતી ટ્રેનોનું સમયપત્રક ફરીથી નક્કી કરવામાં આવશે અને સવારે દોડાવવામાં આવશે. જો આગામી દિવસોમાં તણાવ વધશે તો આ ટ્રેનો અંગે બેઠક બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ટ્રેનો રાત્રે સરહદી વિસ્તારોમાં પહોંચતી હતી, તે હવે સવારે ત્યાં પહોંચશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રેલવેના આગામી આદેશ સુધી આ ટ્રેનો બંધ રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ સમાપ્ત થયા પછી આ અંગે નિર્ણય લેવામાં આવશે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here