Patan: ઊંઝા ત્રણ રસ્તાથી બ્રહ્માકુમારી સેન્ટર સુધી આઇકોનિક રોડ તરીકે ડેવલોપમેન્ટ કરાશે

0
6

પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા થી બ્રહ્માકુમારી સેન્ટર સુધીના રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે. રૂ. 80 લાખના ખર્ચે તૈયાર થનારા આ રોડના કામનું આજે ખાતમુરત કરી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાટણના ઊંઝા ત્રણ રસ્તાથી બ્રમ્હાકુમારી સેન્ટર સુધીના માર્ગ ને નિર્મળ પથ (આઇકોનિક રોડ) બનાવવામાં આવનાર છે. ત્યારે શનિવારે સવારે આ કામનું ભૂમિપૂજન બ્રમ્હાકુમારીના નીલમદીદી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. પાટણથી ઊંઝા રોડ ઉપર અંદાજે બે કિલોમીટર જેટલા માર્ગને આઇકોનિક માર્ગ તરીકે વિકસિત કરવામાં આવનાર છે. જેમાં જે હયાત રોડ છે. તેમાં કોઈ કામ થવાનું નથી. જે રોડ છે તેની સાઈડમાં લોકોને ચાલવા માટે બ્લોક પેવિંગ, આસપાસ વૃક્ષારોપણ કરવામાં આવશે, જે સરકારી દીવાલો હશે તેને પેઇન્ટિંગ કરવામાં આવશે, રોડની વચ્ચે ડિવાઈડરમાં ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવશે તેમજ રોડની બંને તરફ્ની એન્ટ્રીઓનું બ્યુટીફ્કિેશન આ કામમાં કરવામાં આવનાર છે.

નગરપાલિકાની સ્વચ્છતા શાખાને નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત નિર્મળ પથના નિર્માણ માટે સરકાર તરફ્થી રૂપિયા 80 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તે ગ્રાન્ટમાંથી આ રોડને વિકસિત કરવામાં આવી રહ્યો હોવાનું સ્વચ્છતા શાખાના સેનેટરી ઇન્સ્પેક્ટર પાલે જણાવ્યું હતું



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here