અરવલ્લીના મોડાસામાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે,રામપાર્ક અને અમરદીપ સોસાયટીમાં રખડતા શ્વાને 15 લોકોને બચકા ભરતા તમામને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,લોકો ઘરની બહાર પણ નીકળતા ડરી રહ્યાં છે,ત્યારે નગરપાલિકા આ મામલે નિરાકરણ લાવે અને રખડતા શ્વાનને ઝડપીને સારવાર કરે તે જરૂરી છે.
મોડાસાની રામપાર્ક અને અમરદીપ સોસયટીમાં શ્વાનનો આતંક
રખડતા શ્વાનનો આતંક એ સમગ્ર ગુજરાતની સમસ્યા છે,આવી જ એક ઘટના મોડાસામાં બની છે,જેમાં રસ્તે જતા અને બાઈક લઈને જતા 15 લોકોને શ્વાને બચકા ભર્યા છે,તો નગરપાલિકાએ હડકાયા શ્વાનને ઝડપવા માટે કામગીરી શરૂ કરી છે,સ્થાનિકોનું કહેવું છે કે,વાહન લઈને જઈએ તે સમયે પણ શ્વાન રોડ પર દોડીને બચકા ભરી લે છે,તો બાળકોને પણ રમવા માટે ઘરની બહાર નીકળતા બીક લાગે છે.ઉનાળાની ઋતુમાં પ્રાણીઓના હોર્મોન્સમાં ફેરફાર થવાથી, ખાસ કરીને કૂતરાઓમાં હડકવાનું પ્રમાણ વધી જાય છે.
ગ્લોબલ વોર્મિંગની કૂતરાઓ પર અસર
બદલાતા મોસમને કારણે કુદરત જ નહિ, માણસો ઉપરાંત તમામ જીવ-જંતુ તમામમાં પરિવર્તન થઈ રહ્યાં છે. જેના અનેક ઉદાહરણ આપણને જોવા મળે છે. પરંતુ તેના બાદ પણ આપણે જળવાયુ પરિવર્તનને લઈને સજાગ થયા નથી અને ન તો આ બદલાવને સ્વીકારી રહ્યાં છે. ક્લાયમેટ ચેન્જને કારણે પ્રકૃતિમાં અનેક પ્રકારના બદલાવ થઈ રહ્યાં છે, જેને કારણે પાકના ગ્રોથમાં ઘટાડો, લોકોના વિચારોમાં સમસ્યાઓ, માણસોની હાઈટમાં તકલીફ વગેરે સમસ્યાઓ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલ યુરોપ પણ ગરમીનો સામનો કરી રહ્યું છે. તો માણસો પણ અનેક સમસ્યાઓનો તકલીફો વેઠી રહ્યાં છે. પરંતું આગામી સમયમાં વ્યાપક રૂપમાં દુનિયાને અસર કરશે. રખડતા કૂતરાઓનો આતંક પણ ગ્લોબલ વોર્મિંગનો જ એક ભાગ છે.