Junagadh: આંગણવાડીનું મકાન ખાલી કરાવવા મુદ્દે મહિલા સરપંચના પતિની હત્યા

0
6

જૂનાગઢના ખંભાળિયામાં ગામના જ શખ્સે મહિલા સરપંચના પતિની હત્યા કરી નાંખી હોવાનો બનાવ સામે આવ્યો છે. એકાદ મહિના પહેલા ગામના એક શખ્સ સાથે આંગણવાડીના મકાન મુદ્દે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન થયેલા હૂમલામાં સરપંચના પતિને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં સારવાદ દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

સરપંચના પતિ અરવિંદ મકવાણાને ઈજા પહોંચી

પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢના ખંભાળિયામાં મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો. ખંભાળિયા (ઓઝત)ના મહિલા સરપંચના પતિ સાથે ગામના જ એક શખ્સે પાનના ગલ્લા પાસે આંગણવાડીના મકાન મુદ્દે બોલાચાલી કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતાં સામે વાળા શખ્સે હૂમલો કર્યો હતો. આ હૂમલામાં મહિલા સરપંચના પતિ અરવિંદ મકવાણાને ઈજા પહોંચી હતી.

આંગણવાડીનું મકાન ખાલી કરાવવા મુદ્દે હૂમલો કર્યો હતો

ગામના જ શખ્સે આંગણવાડીનું મકાન ખાલી કરાવવા મુદ્દે હૂમલો કર્યો હતો. જેમાં અરવિંદ મકવાણાને ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. રાજકોટમાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. આંગણવાડીના મકાનને ખાલી કરાવવા મુદ્દે બોલાચાલી થતાં મામલો હૂમલા સુધી પહોંચ્યો હતો અને છેવટે તે હત્યામાં પરિણમ્યો હતો. વિસાવદર પોલીસે આ હત્યાના બનાવ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here