– જુની લાઇનમાં ભંગાણ થતાં વિતરણ વ્યવસ્થા ખોરવાઇ
– પાઈપલાઈન નાખી યોગ્ય બુરાણ નહીં કરતા રસ્તા ઉબડખાબડ થયા : વાહન ચાલકો ત્રસ્ત
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા હાલ છેલ્લા ઘણા સમયથી શહેરના ધોળીધજા ડેમથી બાલા હનુમાન રોડ પર પાણીની ટાંકી સુધી પાઈપલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી આડેધડ અને યોગ્ય રીતે બુરાણ કર્યા વગર કરવામાં આવતાં અનેક વાહનચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
સુરેન્દ્રનગર શહેરમાં ધોળીધજા ડેમથી બાલાહનુમાન રોડ પર આવેલી પાણીની ટાંકી સુધી પીવાના પાણીની નવી પાઈપલાઈન નાંખવામાં આવી રહી છે. પરંતુ કોન્ટ્રાક્ટર અને કામદારો દ્વારા યોગ્ય રીતે ખોદકામ ન કરતા અનેક વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.