મોરારિબાપુના ધર્મપત્નીનું મોડી રાત્રે નિધન, 75 વર્ષીય નર્મદાબેનને તલગાજરડા ખાતે સમાધિ અપાઈ | moraribapu wife narmadaben passes away talgajarda

0
4

Moraribapu Wife passes away: ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબહેન મોરારિદાસ હરિયાણીનું મંગળવારે મોડીરાત્રે તલગાજરડા ખાતે પોતાના નિવાસસ્થાને નિધન થયું હતું. 75 વર્ષીય નર્મદાબહેનના નિધનથી મહુવા પંથકમાં શોકનો માહોલ છવાયો છે. તેમના પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને આજે 9 વાગે સમાધિ આપવામાં આવી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબહેન મોરારિદાસ હરિયાણીએ મંગળવારે રાત્રે 1:30 વાગે મહુવા તાલુકાના તલગાજરડા ખાતે પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. આજે સવારે 9 વાગે તેમના પાર્થિવદેહને સમાધિ આપવામાં આવી હતી.
મોરારિબાપુના ધર્મપત્નીનું મોડી રાત્રે નિધન, 75 વર્ષીય નર્મદાબેનને તલગાજરડા ખાતે સમાધિ અપાઈ 2 - image

નર્મદાબહેનની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હોવાથી તેમને છેલ્લા બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો. નર્મદાબહેનના નિધનના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયેલો છે. નર્મદાબહેનના નિધનથી તલગાજરડા ગામ સ્વેચ્છાએ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here