બસે અડફેટે લીધો છતાં રાહદારીનો વાળ વાંકો ન થયો!

0
4

ભરુચ: રામ રાખે એને કોણ ચાખે. આ વાત ફરી ચરિતાર્થ થઈ છે અંકલેશ્વર સર્કલ નજીક. ઝઘડિયાથી સુરત તરફ જઈ રહેલી એક ST બસની અંકલેશ્વર સર્કલ નજીક બ્રેક ફેઈલ થઈ જતાં બસ બેકાબૂ બની હતી. બેકાબૂ બનેલી આ બસે ત્રણ વાહનો ટક્કર મારી હતી. જ્યારે એક વ્યક્તિને પણ અડફેટે લીધો હતો. જેના CCTV સામે આવ્યા છે. આ CCTVમાં જોઈ શકાય છે કે શખ્સને બસ અડફેટે લઈ રહી છે. તો આ તરફ અચાનક બેકાબૂ બનેલી બસને જોતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here